રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/મદાલસા

વિકિસ્રોતમાંથી
← નર્મદા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
મદાલસા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુલક્ષણા →


१०८–मदालसा

શારંગધરના સંગ્રહમાં ધર્મનિવૃત્તિ પ્રકરણમાં વ્યાસના શ્લોક પછી મદાલસાનો નીચે ઉતારેલો શ્લોક છેઃ–

परलोकहितं तात प्रातरुत्थाय चिन्तय ।
इह ते कर्मणामेव विषाकश्चिन्तयिष्यति ।।

“હે પુત્ર ! સવારના પહોરમાં ઊઠીને પરલોકના હિતનો વિચાર કર. આ લોકનો વિચાર તો તારાં કર્મોની ઘટનાઓ ઊભી છે તે કરશે.”