વાંસળી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વાંસળી
દયારામ


<poem> વાગે વૃંદાવનમાં વાંસળી રે ઊભો ઊભો વગાડે (ક હા)ન; નાદે વેધી મુનિવર પાંસલી રે નવ રહી કોને સાન. વાગે૦

તરુની શાખાઓ ઝૂમી રહી રે, ચરણે નમવાને કાજ; વેલી વૃક્ષ સાથે ઝૂલી રહી રે, (૨) ભાગ્ય અમારાં આજ ! વાગે૦

જમનાનીર ચાલે નહીં રે, મૃગમન મોહ જ થાય; પંખી માળામાં હાલે નહીં રે, (૨) નાદ સુણી ન રહેવાય. વાગે૦

વાછરૂં કાન દઈ સાંભળે રે, કરે નહીં પયપાન;

ગાયો ગાળા તોડી તહાં પળે રે, (૨)

નાદ સુણવાને કાન. વાગે૦

ફૂલ્યાં કમળ જળ ટાટડી રે, દીસે ઉદીઓ છે ભાણ; શંકર સમાધિ મેલી રહ્યા રે, (૨) થયું જગતને જાણ. વાગે૦

કાને પડીઓ તે વ્રજનારને રે, વ્હાલાજીનો રે નાદ; સાંભળતા તજી નિજ ધામને રે, (૨‌) ધાઇ ગયા સૌ સાથ. વાગે૦

લીલા કેવી કુંજધામની રે ! પવન થયો ગતિભંગ; દેવતા વૃષ્ટિ કરે પ્રસન્ન થઇ રે (૨‌) દેખી વ્રજનો ઉમંગ. વાગે૦