વાંસળી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
વાંસળી દયારામ |
<poem>
વાગે વૃંદાવનમાં વાંસળી રે ઊભો ઊભો વગાડે (ક હા)ન;
નાદે વેધી મુનિવર પાંસલી રે નવ રહી કોને સાન. વાગે૦
તરુની શાખાઓ ઝૂમી રહી રે, ચરણે નમવાને કાજ; વેલી વૃક્ષ સાથે ઝૂલી રહી રે, (૨) ભાગ્ય અમારાં આજ ! વાગે૦
જમનાનીર ચાલે નહીં રે, મૃગમન મોહ જ થાય; પંખી માળામાં હાલે નહીં રે, (૨) નાદ સુણી ન રહેવાય. વાગે૦
વાછરૂં કાન દઈ સાંભળે રે, કરે નહીં પયપાન;
ગાયો ગાળા તોડી તહાં પળે રે, (૨)
નાદ સુણવાને કાન. વાગે૦
ફૂલ્યાં કમળ જળ ટાટડી રે, દીસે ઉદીઓ છે ભાણ; શંકર સમાધિ મેલી રહ્યા રે, (૨) થયું જગતને જાણ. વાગે૦
કાને પડીઓ તે વ્રજનારને રે, વ્હાલાજીનો રે નાદ; સાંભળતા તજી નિજ ધામને રે, (૨) ધાઇ ગયા સૌ સાથ. વાગે૦
લીલા કેવી કુંજધામની રે ! પવન થયો ગતિભંગ; દેવતા વૃષ્ટિ કરે પ્રસન્ન થઇ રે (૨) દેખી વ્રજનો ઉમંગ. વાગે૦