શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૩. આઠમું વ્રત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૨. સાતમું વ્રત શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૧૩. આઠમું વ્રત
જૈન ધાર્મિક સાહિત્ય
૧૪. નવમું સામાયિક વ્રત →


૧૩. આઠમું વ્રત

(અનર્થદંડ ત્યાગ - ત્રીજું ગુણવ્રત)

આઠમું વ્રત - આઠમું વ્રત
અણત્થાદંડનું વેરમણં – વિના પ્રયોજને આત્મા દંડાય છે. તેથી નિવર્તું છું.
ચઉવ્વિહે - ચાર પ્રકારે
અણત્થાદંડે - અર્થ વિના દંડાય
પન્નતે - કહ્યા છે
તં જહા - તે આ પ્રમાણે
અવજ્ઝણાચરિયં - માઠું ધ્યાન (આંતર્ધ્યાન) અથવા રૌદ્ર ધ્યાન ધરવાથી
પમાયાચરિયં - પ્રમાદ કરવાથી *[૧] (દા.ત. જે આળસને લીધે બીજાના પ્રાણ હરણ થાય તેવી ક્રિયાઓ જેમકે એંઠા વાસણ ખુલ્લા રાખવા, પોંજ્યા વિના ચૂલા, ગૅસ બર્નર સળગાવવા, ઘી તેલ શરબત આદિના વાસણ ખુલ્લા રાખવા વગેરે)

હિંસપ્પયાણં - હિંસા થાય તેવાં શસ્ત્રો કોઈને આપવાથી ( ચપ્પુ-છરી, તલવાર, ભાલા, બંદૂક વગેરે.)
પાવકમ્મોવએસં - પાપ કર્મોનો ઉપદેશ - સલાહ આપવાથી

એહવા આઠમા અણત્થદંડ સેવવાના પચ્ચ્ક્‌ખાણ; જાવજ્જીવાએ દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા

એહવા આઠમા અણત્થદંડ વેરમણં વ્રતના પંચ અઇયારા, જાણિયવ્વા, ન સમાયરિવ્વા, તંજહા તે આલોઉં :-

કંદપ્પે - વિષય વિકાર વધે તેવાં વચન બોલવાં
કુક્કુઈએ - કુચેષ્ટા કરવી (આંખ, મુખ, હાથ આદિથી)
મોહરિએ - જેમતેમ નિરર્થક બોલવું (હાંસી, મશ્કરી કરવી, એપ્રિલફુલ બનાવવા વગેરે)
સંજુત્તાહિગરણે - હિંસાકારી હથિયાર ભેગાં કર્યા હોય, જૂનાં હથિયારને નવા કરાવ્યા હોય.
ઉવભોગ પરિભોગ - ઉપભોગ પરિભોગની વસ્તુઓમાં
અઈરત્તે – અતિ આસક્ત ભાવ રાખ્યા હોય

એહવા આથમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.

નોંધ[ફેરફાર કરો]

  1. ધાર્મિક કાર્યો (સત્કાર્યો)માં આળસ અને પાપના કાર્યમાં ઉદ્યમ, તેનું નામ પ્રમાદ - તેના પાંચ પ્રકાર છે - મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. સાધક આત્માએ પાંચ પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ