શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૯. અઢાર પાપસ્થાનક સૂત્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૮. સંથારો-સંલેખના સૂત્ર શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૧૯. અઢાર પાપસ્થાનક સૂત્ર
જૈન ધાર્મિક સાહિત્ય
૨૦. પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વ →


૧૯. અઢાર પાપસ્થાનક સૂત્ર


૧. પ્રાણાતિપાત - જીવહિંસા
૨. મૃષાવાદ - જૂઠ્ઠું બોલવું
૩. અદત્તાદાન - ચોરી કરવી, અણદીધેલી વસ્તુ લેવી

૪. મૈથુન - અબ્રહ્યચાર્ય
૫. પરિગ્રહ - ભૌતિક આસકિત
૬. ક્રોધ - ગુસ્સો
૭. માન - અહંકાર
૮. માયા - કપટ
૯. લોભ - અસંતોષ
૧૦. રાગ - પ્રીતિ
૧૧. દ્વેષ – તિરસ્કાર
૧૨. કલહ - કજિયો
૧૩. અભ્યાખ્યાન - ખોટું આળ ચડાવવુ
૧૪. પૈશુન્ય - ચાડી ચુગલી કરવી
૧૫. પર-પરિવાદ - નિંદા કરવી, વાંકુ બોલવું
૧૬. રઈ-અરઈ - પાપના કામમાં ખુશ થવું અને ધર્મનાં કામમાં નાખુશ થવું
૧૭. માયા મોસો - કપટ સહિત જૂઠું બોલવું
૧૮. મિચ્છાં દંસણ સલ્લં - કુદેવ કુગુરૂ અને કુધર્મની શ્રદ્ધારૂપ શલ્ય

તસ્સ મિચ્છામિ દુક્કડં - મારૂં પાપ મિથ્યા થાઓ

આ અઢાર પાપસ્થાનક મારા જીવે (તમારા જીવે) સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યા હોય તે અનંતા સિધ્ધ કેવળીની સાક્ષી એ મિચ્છામિ દુક્કડં