સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૮. મરણપથારીએ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૭. રંગરૂટની ભરતી સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૮. મરણપથારીએ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૯. રૉલૅટ ઍક્ટ અને મારું ધર્મસંકટ →


૨૮. મરણપથારીએ

રંગરૂટની ભરતી કરતાં મારું શરેર ઠીક ઘસાયું. એ વકહ્તે મારો ખોરાક મુખ્યત્વે ભૂંજેલી અને ખાંડેલી ભોંયસીંગ અને ગોળને મેળવણી કેળં ઈત્યાદિ ફળ અને બે ત્રણ લીંબુનું પાની એ હતો. સીંગ વધારે પ્રમાણમાં ખવાય તો નુકશન કરે એમ હું જાણતો હતો. એમ છતાં એ વધારે ખવાઈ. તેથી સહેજ મરડો થયો. મારે વખતો વખત આશ્રમમાં આવવાનું તો થતું જ. આ મરડો મનેગણકારવા જેવો ન લાગ્યો. રાત્રીએ આશ્રમ પહોંચ્યો. દવાઓ એ વખતે હું ભાગ્યે જ અક્રતો. એક વકહ્ત ખાવાનું છોડી દઈશ એટલે મટશે એમ વિશ્વાસ હતો. બીજે દિવસે સવારે કંઈ નહોતું ખાધું, એટલે દરદ શાંત થયું હતું. પણ હું જાણતો હતો કે, મારે ઉપવાસ લંબાવવો જોઈએ, અથવા ખાવું જ જોઈએ તો ફળના રસ જેવી કંઈક વસ્તુ ખવાય.

આ દિવસ કોઈ તહેવારનો હતો. બપોરના પણ હું નહીં જમું એમ મેં કસ્તૂરબાઈને કહી દીધું હતું એવું સ્મરણ છે. પણતેણે મને લલચાવ્યો અને હું લાલચમાં પડ્યો. આ સમયે હું કોઈ પણ પશુનું દૂધ નહોતો લેતો, તેથી ઘીછાશનો પણ ત્યગ હતો. એટલે મારે સારુ તેલમાં ભરડેલા ઘઉંની લાપસી બનાવી હતી એ અને આખા મગ મારે સારુ ખાસ મૂકી રાખ્યા છે એમ મને કહ્યું. અને હું સ્વાદને વશ થઈ પીગળ્યો. પીગળતાં છતાં ઈચ્છા તો એવી હતી કે કસ્તૂરબાઈને રાજી રાખવા પૂરતું થોડુંક જ ખાઈશ, સ્વાદ પણ લઈશ અને શરીરની રક્ષા પણ કરીશ. પણ સેતાન પોતાનો લાગ જોઈને બેસી જ રહ્યો હતો. ખાવા બેઠો અને જરાક ખાવાને બદલે મેં પેટ ભરીને ખાધું. સ્વાદ તો પૂરો લીધો, પણ સાથે જ યમરાજાને આમંત્રણ મોકલી દીધું. ખાધાને કલાક પણ નહીં થયો હોય ને સખત મરડો ઉપડી આવ્યો.

રાત્રીના નડિયાદ તો પાછું જવાનું હતું જ. સાબરમતી સ્ટેશન સુધી ચાલ્તો ગયો, પણ એ સવા માઈલનો રસ્તો કાપવો પણ કઠણ લાગ્યો. અમદાવાદ સ્ટેશને વલ્લભભાઈ જોડાવાના હતા. એ જોડાયા ને મારો વ્યાધિ વર્તી ગયા હતા, છતાં એ વ્યાધિ અસહ્ય હતો એમ મેં તેમને કે બીજા સાથીઓને ન જણાવા દીધું.

નડિયાદ પહોંચ્યા. ત્યાંથી અનાથાશ્રમ પહોંચવાનું અર્ધા માઈલથી અંદર હતું. છતાં દસ માઈલ જેટલું લાગ્યું. ઘણી મુશ્કેલીથી ઘરભેળો થયો. પણ આંકડી વધતી જતી હતી. પાયખાનાની હાજ ત પા પા કલાકે થાય. છેવટે હું હાર્યો. મારી અસહ્ય વેદના જાહેરા કરી અને પથારી લીધી. આશ્રમને સામાન્ય પાયખાને જતોતેને બદલે મેડી ઉપર પેટી મંગાવી. શરમ તો બહુ આવી, પણ લાચાર હતો.ફૂલચંદ બાપુજી વીજળીને વેગે પેટી લઈ આવ્યા. ચિંતાતૂર થઈ સાથીઓમારી આસપાસ વીંટળાઈ ગયા. તેમણે મને પ્રેમથી નવડાવ્યો, પણ મારા દુઃખમાં એ બિચારા શું ભાગ લઈ શકે? મારી હઠનો પાર નહોતો. દાક્તરને બોલાવવાની મેં ના પાડી. દવાતો નહીં જ લઉં. કરેલા પાપની સજા ભોગવીશ. સાથીઓએ આ બધું વીલે મોંએ સહન કર્યું. ચોવીસ કલાકમાં ત્રીસ ચાળીસ હાજતો થઈ હશે. ખાવાનું તો મેં બંધ જ કર્યું હતું. અને પહેલા દિવસોમાં તોફળના રસો પણ ન લીધા. લેવાની મુદ્દલ રુચિ નહોતી.

જે શરીરને હું આજ લગી પથ્થર જેવુમ્ માનતો તે શરીર ગરા જેવું થઈ ગયું હતું. શક્તિ હણાઈ ગઈ. દાક્તર કાનૂગા આવ્યા. તેમણે દવા લેવા વીનવ્યો. મેં ના પાડી. તેમણે પીચકારી આપવાનું સૂચવ્યું. એ પણ મેં ના પાડી. પિચકારીને વિષેને એ વખતનું મારું અજ્ઞાન હસ્યજનક હતું. હું એમજ માનતો કે, પિચકારી એટલે કોઈ પણ પ્રકારની રસી હશે. પાછળથી હું સમજ્યો કે. આ તો નિર્દોષ વનસ્પતિની ઔષધિની પિચકારી હતી. પણ જ્યારે સમજ આવી ત્યારે અવસર વીતી ગયો હતો. હાજતો જતો જારી જ હતી. ઘ્ણા પરિશ્રમને લીધે તાવ આવ્યો અને બેશુદ્ધિ પણ આવી. મિત્રો વિશેષ ગભરાયા. બીજા દાક્તરો પણ આવ્યા. પણ જે દરદી તેમનું માને નહીં તેને સારુ તેઓ શું કરી શકે?

શેઠ અંબાલાલ અને તમનાં ધર્મપત્ની નડિયાદ આવ્યાં. સાથેઓની સાથે મસલત કરી મને તેઓ તેમના મિરજાપુરને બંગલે ઘણી જ સંભાળપૂર્વક લઈ ગયાં. આ માંદગીમાં જે નિર્મળ, નિષ્કામ સેવા હું પાન્યો તેનાથી વધારે સેવા તો કોઈ પામી ન શકે એટલું તો હું અવશ્ય કહી શકું છું. ઝીણો તાવ વળગ્યો. શરીર ક્ષીણ થતું ચાલ્યું. મંદવાડ સારી પેઠે લંબાશે, કદાચ હું બિછાનાથી નહીં ઉઠી શકું, એમ પણ મને થયું. અંબાલાલ શેઠના બંગલામાં પ્રેમથી વીંટળાયેલો છતાં હું અશાંત બન્યો, અને મને આશ્રમમાં લઈ જવા તેમને વીનવ્યા. મરો અતિશય આગ્રહ જોઈને તેઓ મને આશ્રમમાં લઈ ગયા.

આશ્રમમાં હું પીડાઈ રહ્યો હતો તેટલામાં વલ્લભભાઈ ખબર લાવ્યા કે, જર્મનીની પૂરી હાર થઈ છે અને રંગરૂટની ભરતી કરવાની કશી આવાશ્યકતા નથી એમ કમિશ્નરે કહેવડાવ્યું છે. એટલે ભરતીની ચિંતામાંથી હું મુક્ત થયો તે તેથી શાંતિ થઈ.

હવે પાણીના ઉપચાર કરતો અને તેથી દેહ ટકી રહ્યો હતો. દરદ શમ્યું હતું, પણ શરીર કેમે ભરાઈ શકતું નહોતું. વૈધમિત્રો અને દાક્તરમિત્રો અનેક પ્રકારની સલાહ આપતા, પણ હું કંઈ દવા પીવાને તૈયાર ન થયો. બે ત્રણ મિત્રોએ દૂધનો બાધ હોય તો માંસનો સેરવો લેવાની ભલામણ કરી અને ઔષધ તરીકે માંસાદિ ગમે તે વસ્તુ લઈ શકાય એવાં આયુર્વેદના પ્રકરણો ટાંક્યાં. એકે ઈંડા લેવાની ભલામણ કરી. પણ તેમાંની કોઈ સલાહ હું સ્વીકારીએ ન શક્યો. મારો જવાબ એક જ હતો.

ખાદ્યાખાદ્યનો નિર્ણય મારે સારુ કેવળ શાસ્ત્રોના શ્લોકોની ઉપર આધર નહોતો રાખતો, પણ મારા જીવનની સાથે સ્વતંત્ર રીતે ઘડાયેલો હતો. ગમે તે ખાઈને અને ગમે તે ઉપચારોથે જીવવાનો મને મુદ્દલ લોભ નહોતો. જે ધર્મનો અમલ મેં મારા પુત્રને વિષે કર્યો, સ્ત્રીને વિષે કર્યો, સ્નેહીઓને વિષે કર્યો તે ધર્મનો ત્યાગ મારા વિષે કેમ કરું?

આમ મારી આ બહુ લંબાયેલી અને જીવનમાં પહેલી આટલી મોટી માંગદીમાં મને ધર્મ નિરીક્ષણ કરવાનો, તેની કસોટી કરવાનો અલભ્ય લાભ મળ્યો. એક રાત્રે તો મેં તદ્દન હાથ ધોઈ નાખ્યા. મને લાગ્યું કે મૃત્યુ નજીક જ છે.શ્રીમતી અનસૂયાબહેનને ખબર કહેવડાવ્યા. તે આવ્યાં. વલ્લભભાઈ આવ્યા. દાક્તર કનૂગા આવ્યા. દાક્તર કનૂગાએ નાડી જોઈ અને કહ્યું: 'મરવાના હું પોતે કોઈ ચિહ્ન જોતો જ નથી. નાડી સાફ છે. તમને કેવળ નબળાને લેધે માનસિક ગભરાટ છે.' પણ મારું મન ન માન્યું. રાત્રી તો વીતી. હું તે રાત્રીએ ભાગ્યે ઊંધી શક્યો હોઈશ.

સવાર પડી મૃત્યુ ન આવ્યું. છતાં જીવવાની આશા તે વખતે ન બાંધી શક્યો, અને મરણ સમીપ છે એમ સમજી જેટલો સમય બની શકે તેટલો સ્મય સાથીઓની પાસે ગીતાપાઠ સાંભળવામાં ગાળવા લાગ્યો. કઈંક કામકાજ કરવાની શક્તિ તો નહોતી જ. વાચન કરવા જેટલે શક્તિ પણ નહોતી. કોઈની સાથે વાત ક્રવાનું પણ મન થાય નહીં. થોડી વાત કરું તો મગજ થાકી જાય. તેથી જીવવામાં કશો રસ નહોતો. જીવવાને ખાતર જીવવું મને કદી પસંદ જ નથી પડ્યું.કંઈ કમકાજ કર્યા વિના સાથીઓની સેવા લઈને ક્ષીણ થતા જતા દેહને લંબાવ્યા જ કરવો એ મહા કંટાળાભર્યું કામ હતું. આમ મરવાની રાહ જોઈને બેઠો હતો તેરલામાં દાક્તર તળવળકર એક વિચિત્ર પ્રાણી લાવ્યા. એ મહારાષ્ટ્રી છે. તેમને હિંદુસ્તાન ઓળખતું નથી. પણ એ મારા જેવા 'ચક્રમ' છે એટલે હું તેમને જોતાં સમજી શક્યો. એ પોતાના ઉપચાર મારી ઉપર અજમવવાને આવ્યા હતા. દા. તળવળકર જેમને ભલામણ ખાતર લાવ્યા તેમણે દાક્તરીનો અભ્યાસ માટૅ ગ્રૅંટ મૅડિકલ કૉલેજમાં કર્યો હતો, પણ દ્વારકા (આહીં દાક્તર હોવું જોઈએ?)ની છાપ નહોતા પામ્યા. પાછળથી જાણ્યું કે તે બ્રાહ્મસમાજી છે. તેમનું નામ કેળકર. સ્વભાવે બહુ સ્વતંત્ર છે. તેઓ બરફના ઉપચારના ભારે હિમાયતી છે. મારા દરદ વિષે સાંભળવાથી તે બરફના ઉપચાર મારી ઉઅપ્ર અજમાવવાને આવ્યા ત્યારે થી અમે તેમને 'આઈસ દાક્તર' ના ઉપનામથી ઓળખીએ છીએ. પોતાના અભિપ્રાયને વિષે તેઓ અતિશય આગ્રહી છે. છાપાવાળા દાક્તરોથી પણ તેમણે કેટલીક વધારે સારી શોધો કરેલી છે એમ તેમનો વિશ્વાસ છે. તેમનો વિશ્વાસ તે મારામાં પેદા નથી અક્રી શક્યા એ તેમને અને મને બંનેને દુઃખની વાત રહેલી છે. અમુક હદ સુધી તેમના ઉપચારોને હું માનું છું; પણ, મને લાગ્યું છે કે, કેટલાક અનુમાનો બાંધવામાં તેમણે ઉતાવળ કરેલી છે.

પણ તેમની શોધો યોગ્ય હો કે અયોગ્ય, મેંતેમને મારા શરીર ઉપર અખતરાઓ કરવા દીધા. બાહ્ય ઉપચારોથી સાજા થવાય તોમને ગમે, ને તે પણ બરફના એટલે પાનીના. એટલે તેમણે મારે આખે શરીરે બરફ ઘસવાનું શરૂ કર્યું. તેથી તે માને છે એટલું પરિણામ જોકે મારે વિષે ન આવ્યું, છતાં રોજ મરણની વાટ જોઈને હું બેઠોહતો તેને બદલે હવે કઈંક જીવવાની આશા બાંધવા લાગ્યો. કઈંક ઉત્સાહ આવ્યો. મનના ઉત્સાહની સાથે સાથે શરીરમાં પણ ઉત્સાહ આનુભવ્યો. કઈંક વધારે ખાવા લાગ્યો. પાંચ દશ મિનિટ રોજ ફરતો થયો. 'જો તમે ઈંડાનો રસ પીઓ તો તમને આવ્યો છે તેના ક્રતા વધરે ઉત્સાહ આવે એવી હું તમને ખોળાધારી આપી શકું છું. અને ઈંદા દૂધન જેટલો નિર્દોષ પદાર્થ છે, એ મામ્સ તો નથી જ. દરેક ઈંડામાંથી મુરઘી થાય જ એવો નિયમ નથી. જેમાંથી મુરઘી ન જ થાય એવાં નિર્બિજ ઈંડા સેવવામાં આવે છે. એ હુ તમારી પાસે પુરવાર કરી શકું છું.' પણ એવાં નિર્બિન ઈંડા લેવાને સારુયે હું તૈયાર ન થયો, છતાં મારું ગાડું કંઈક આગળ ચાલ્યું. અને હું આસપાસનાં કામોમાં થોડો થોડો રસ લેવા લાગ્યો.