સુદામા ચરિત/કડવું ૨

વિકિસ્રોતમાંથી
← કડવું ૧ સુદામા ચરિત
કડવું ૨
પ્રેમાનંદ
કડવું ૩ →
રાગ વેરાડી


કડવું ૨ – રાગ વેરાડી

શુકજી કહે: સાંભળ, નરપતિ! સુદામાની છે નિરમલ મતિ,
નામ ગૃહસ્થ પણ કેવળ જતિ, માયાસુખ નવ ઈચ્છે રતી.
મુનિનો મરમ કોઈ નવ લહે, સહુ મેલો-ઘેલો દરિદ્રી કહે,
જાચ્યા વિના કોઈ કેમ આપે? ઘણે દુ:ખે કાયા કાંપે.
ભિક્ષાનું નામ કામિની કરે, કોના વસ્ત્ર પખાલે ને પાણી ભરે,
જ્યમ ત્યમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન.
ઘણા દિવસ દુ:ખ ઘરનું સહ્યું, પછે પુર માંહે અન્ન જડતું રહ્યું,
બાળકને થયા બે અપવાસ, તવ સ્ત્રી આવી સુદામા પાસ.
"હું વીનવું જોડી બે હાથ," અબળા કહે, "સાંભળિયે નાથ!"
હું કહેતાં લાગીશ અળખામણી, સ્વામી! જુઓ આપણા ઘર ભણી.
ધાતુપાત્ર નહિ કર સાહવા, સાજું વસ્ત્ર નથી સમ ખાવા,
જેમ જલ વિના વાડી-ઝાડુવાં, તેમ અન્ન વિના બાલક બાડુવાં.
આ નીચાં ઘર, ભીંતડીઓ પડી, શ્વાન-માંજર આવે છે ચડી,
અતિત ફરીને નિર્મુખ જાય, ગવાનિક નવ પામે ગાય.
કરો છો મંત્ર ગાયત્રી-સેવ, (પણ) નૈવેદ્ય વિના પુજાયે દેવ,
પુન્ય પર્વનીએ કો નવ જમે, જેવો ઉગે તેવો આથમે.
આ બાળક પરણાવવા પડશે, સતકુલની કન્યા ક્યાંથી જડશે?
શ્રાદ્ધ-સમછરી સહુ કો કરે, આપના પૂર્વજ નિર્મુખ ફરે,

અન્ન વિના પુત્ર મારે વાગલાં, તો ક્યાંથી ટોપીને આંગલાં?
વાયે ટાઢ, બાલકડાં રુએ, ભસ્મ માંહે પેસીને સૂએ.
હું ધીરજ કોણ પ્રકારે ધરું? તમારું દુ:ખા દેખીને મરું,
અબોટિયું-પોતિયું નવ મળે, સ્નાન કરો છો શીતળ જળે.
વધ્યા નખ ને વધી જટા, માથે ઊડે રાખોડીની ઘટા,
દર્ભ તણી તૂટી સાદડી, તે ઉપર નાથ! રહો છો પડી.
બીજે-ત્રીજે કાંઈ પામો આહાર, તે મુજને દહે છે અંગાર,
હું તો દારિદ્ર-સમુદ્રમાં બૂડી, એ વાતનમાં એકેકી ચૂડી.
લલાટે દેવા કંકુ નહીં, શરીર અન્ન વિના સૂકું સહી,
હું પુછું લાગીને પગે, એવું દુ:ખ સહીએ ક્યાંહાં લગે?
તમે કહો છો દહાડી, ભરથાર! માધવ સાથે છે મિત્રાચાર,
જે કો રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તું નવ મળે?
જે જીવ જલમાં ક્રીડા કરે, તે પ્રાણી કેમ તરસે મરે?
જે પ્રગટ કરી સેવે હુતાશ, તેને શીત કેમ આવે પાસ?
અમૃતપાન કીધું જે નરે, તે જમ કિંકરનો ભય કેમ ધરે?
જેને સરસ્વતી જીભે વસી, તેને અધ્યયનની ચિંતા કશી?
સદગુરુનાં જેણે સેવ્યાં ચરણ, તેને શાનું માયાવરણ?
જેને જાહ્નવી સેવી સદા, તેને જન્મમરણની શી આપદા?
જેનું મન હરિચરણે વસ્યું, તે પ્રાણીને પાતક કશું?
જેને સ્નેહ શામળળિયા સાથ, તેહના ઘરમાં ન હોય અણાથ.
છેલ્લી વિનતી દાસી તણી, પ્રભુ! પધારો ભૂધર ભણી,
તે ચૌદ લોકનો છે મહારાજ, બ્રાહ્મણને ભીખતા શી લાજ?

વલણ

લાજ ન કીજે નાથજી! માધવ મનવાંછિત આપશે,
કૃપા, ઋષિ! કૃષ્ણ ત્રૂઠા, દારિદ્રનાં દુ:ખ કાપશે.

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]



શુકજી કહે: સાંભળ, નરપતિ! સુદામાની છે નિરમલ મતિ,
નામ ગૃહસ્થ પણ કેવળ જતિ, માયાસુખ નવ ઈચ્છે રતી.

મુનિનો મરમ કોઈ નવ લહે, સહુ મેલો-ઘેલો દરિદ્રી કહે,
જાચ્યા વિના કોઈ કેમ આપે? ઘણે દુ:ખે કાયા કાંપે.

ભિક્ષાનું નામ કામિની કરે, કોના વસ્ત્ર પખાલે ને પાણી ભરે,
જ્યમ ત્યમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન.

ઘણા દિવસ દુ:ખ ઘરનું સહ્યું, પછે પુર માંહે અન્ન જડતું રહ્યું,
બાળકને થયા બે અપવાસ, તવ સ્ત્રી આવી સુદામા પાસ.

"હું વીનવું જોડી બે હાથ," અબળા કહે, "સાંભળિયે નાથ!"
હું કહેતાં લાગીશ અળખામણી, સ્વામી! જુઓ આપણા ઘર ભણી.

ધાતુપાત્ર નહિ કર સાહવા, સાજું વસ્ત્ર નથી સમ ખાવા,
જેમ જલ વિના વાડી-ઝાડુવાં, તેમ અન્ન વિના બાલક બાડુવાં.

આ નીચાં ઘર, ભીંતડીઓ પડી, શ્વાન-માંજર આવે છે ચડી,
અતિત ફરીને નિર્મુખ જાય, ગવાનિક નવ પામે ગાય.

કરો છો મંત્ર ગાયત્રી-સેવ, (પણ) નૈવેદ્ય વિના પુજાયે દેવ,
પુન્ય પર્વનીએ કો નવ જમે, જેવો ઉગે તેવો આથમે.

શ્રાદ્ધ-સમછરી સહુ કો કરે, આપના પૂર્વજ નિર્મુખ ફરે,
આ બાળક પરણાવવા પડશે, સતકુલની કન્યા ક્યાંથી જડશે?

અન્ન વિના પુત્ર મારે વાગલાં, તો ક્યાંથી ટોપીને આંગલાં?
વાયે ટાઢ, બાલકડાં રુએ, ભસ્મ માંહે પેસીને સૂએ.

હું ધીરજ કોણ પ્રકારે ધરું? તમારું દુ:ખા દેખીને મરું,
અબોટિયું-પોતિયું નવ મળે, સ્નાન કરો છો શીતળ જળે.

વધ્યા નખ ને વધી જટા, માથે ઊડે રાખોડીની ઘટા,
દર્ભ તણી તૂટી સાદડી, તે ઉપર નાથ! રહો છો પડી.

બીજે-ત્રીજે કાંઈ પામો આહાર, તે મુજને દહે છે અંગાર,
હું તો દારિદ્ર-સમુદ્રમાં બૂડી, એ વાતનમાં એકેકી ચૂડી.

લલાટે દેવા કંકુ નહીં, શરીર અન્ન વિના સૂકું સહી,
હું પુછું લાગીને પગે, એવું દુ:ખ સહીએ ક્યાંહાં લગે?

તમે કહો છો દહાડી, ભરથાર! માધવ સાથે છે મિત્રાચાર,
જે કો રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તું નવ મળે?

જે જીવ જલમાં ક્રીડા કરે, તે પ્રાણી કેમ તરસે મરે?
જે પ્રગટ કરી સેવે હુતાશ, તેને શીત કેમ આવે પાસ?

અમૃતપાન કીધું જે નરે, તે જમ કિંકરનો ભય કેમ ધરે?
જેને સરસ્વતી જીભે વસી, તેને અધ્યયનની ચિંતા કશી?

સદગુરુનાં જેણે સેવ્યાં ચરણ, તેને શાનું માયાવરણ?
જેને જાહ્નવી સેવી સદા, તેને જન્મમરણની શી આપદા?

જેનું મન હરિચરણે વસ્યું, તે પ્રાણીને પાતક કશું?
જેને સ્નેહ શામળળિયા સાથ, તેહના ઘરમાં ન હોય અણાથ.

છેલ્લી વિનતી દાસી તણી, પ્રભુ! પધારો ભૂધર ભણી,
તે ચૌદ લોકનો છે મહારાજ, બ્રાહ્મણને ભીખતા શી લાજ?

વલણ

લાજ ન કીજે નાથજી! માધવ મનવાંછિત આપશે,
કૃપા, ઋષિ! કૃષ્ણ ત્રૂઠા, દારિદ્રનાં દુ:ખ કાપશે.