ગુજરાતની ગઝલો/નિજાનંદ

વિકિસ્રોતમાંથી
← મારી સનમ ગુજરાતની ગઝલો
નિજાનંદ
[[સર્જક:|]]
૧૯૪૩
જુદો છે! →


રંગ અવધૂત

૭ર : નિજાનંદ


પ્રભુ પરખ્યા હૃદે જેણે, ફરે ભમતો જગે શાને?
પીધું આકંઠ અમૃત તે કરે કાંજી વૃથા શાને ? ટેક.

મળી વટવૃક્ષની છાયા, નિદ્રાદ્રાધે તાડ કાં ઢૂંઢે ?
ભર્યા કોઠાર રત્નોના ગૃહે, કાં પથ્થરો ફોડે ? પ્રભુ૦ ૧

ગૃહે સુરધેનુ કાં દોડે ગૃહોગૃહ તક્રને માટે?
વહે ગંગા નિજાંગણમાં, ભમે રુએ એ શા માટે? પ્રભુ૦ ૨

શરદપૂનમ તણી રાતે, અકર્મી આગિયો ખોળે?
થવા ઉજાસ અંગણમાં, બપોરે દીપ પ્રજ્વાળે ! પ્રભુ૦ ૩

ન શોધે મોર ચિતારો, કદી પિક 'રંગ' તંબૂરો;
કૃતાકૃતથી પરે બેસી, નિહાળે ખલ્કને રો રો ! પ્રભુ૦ ૪

ખુશામત માળીની કદી ના કરે વસંત વનમાળી !
નિજાનંદે ફરે વધૂત, દઈને મોતને તાળી! ! પ્રભુ૦ ૫