ગુજરાતની ગઝલો/મલકાય છે

વિકિસ્રોતમાંથી
← વાત શું જાણે? ગુજરાતની ગઝલો
મલકાય છે
[[સર્જક:|]]
૧૯૪૩
સર્વદા લેજે →


'સાબિર'

૮૮ : મલકાય છે


ગઝલ


અન્ય માટે ખૂન આપી જે અહીંથી જાય છે,
ઝર્દ હો ચહેરો છતાં એ સુર્ખરૂ કે’વાય છે.

માલદારોના ગુલાબી ગાલ શાને થાય છે?
ખૂનથી મઝદૂરના રૂખસાર એ રંગાય છે,

દિલતણી કડીઓ મળી જે એક સાંકળ થાય છે,
તો પરાધીન દેશની જંજીર તૂટી જાય છે.

આ ઝમીં તો માનવીના રક્તથી રાતી હતી,
રક્તના રંગે હવે આકાશ પણ રંગાય છે.

ઝિન્દગીના ભેદ તારી બંધ મુઠ્ઠીમાં હતાં,
શાનથી આવ્યો હતો, તું હાથ ખાલી જાય છે.

ખોલ યારબ એ લકબધારી ગુલામોનાં નયન,
જોઈને મોહરે ગુલામી બેસમજ મલકાય છે.

વર્ષગાંઠો ઝિન્દગીની દોરને ટૂંકી કરે,
વર્ષગાંઠે બેસમજ શું જોઈને મલકાય છે?