ઢાંચો:રૂપક કૃતિ/નવેમ્બર

વિકિસ્રોતમાંથી

મારો જેલનો અનુભવ એ ઈ. સ. ૧૯૨૧માં ગાંધીજી દ્વારા લખાયેલી તેમના દક્ષિણ આફ્રિકાના જેલવાસ દરમ્યાન થયેલા અનુભવની ગાથા છે.

આફ્રિકાના સ્થાનીય હબસી-ગોરા કેદી વચ્ચેનો ભેદભાવ, કેદીઓની વર્તણૂક, ખોરાક સંબંધી પ્રતિબંધો, જગ્યાની તંગી, વાંચન, કેદીને સોંપવામાં આવતું શ્રમ કાર્ય, આદિને આવરી લેતા અનુભવો ગાંધીજીએ આહીં વણી લીધા છે

જો કે માત્ર થોડા જો કે માત્ર થોડા દિવસજ મેં તથા બીજા હિન્દીઓએ સત્યને સારૂં જેલ ભોગવી છે, તોપણ તેમાં મળેલો અનુભવ એ બીજાઓને ઉપયોગી થઈ પડે એમ સમજીને, તથા ઘણાઓ તરફથી માગણી થઈ છે તેથી અહિં આપવા ધારૂં છું. જેલની મારફતે હિન્દી કોમને હજુ ઘણા હક્કો મેળવવાના રહેશે એમ પણ માન્યતા છે. તેથી જેલનાં સુખ, દુઃખ હોતું નથી ત્યાં આપણે મનથી દુઃખ ધારી લઈએ છીએ, એટલે દરેક વસ્તુ વિષે ખરી હકીકત જાણવી તેથી લાભ જ છે એમ ચોખ્ખું દેખાઈ આવે છે.

તા૦. ૧૦મી જાનેવારીએ બપોરના બે વખત જેલમાં નાખવાના હુમલા થયા બાદ જેલમાં જવાનો વખત આવ્યો. મારા સાથીઓને અને મને સજા મળતાં પહેલાં પ્રિટોરિયાથી તાર આવી ગયો હતો, તેમાં ખબર હતા કે ત્યાંના પકડાયેલ હિન્દીઓને નવા કાયદાને શરણ નહિ થવાને સારૂં ત્રણ મહિનાની સખત મજૂરીની જેલ મળી હતી; ને તે ઉપરાંત દંડ પણ થયો હતો અને જો દંડ ન આપે તો બીજા ત્રણ મહિનાની સજા હતી. આ વાત સાંભળીને હું પોતે ધખી રહ્યો હતો. માજીસ્ટ્રેટની પાસે તેટલા સારૂં મેં વધારેમાં વધારે સજા માંગી, પણ મળી નહિ.

(આગળ વાંચો...)