દીનાનાથની ઢાળો/ઢાળ ૨જી
Appearance
← ઢાળ ૧લી | દીનાનાથની ઢાળો ઢાળ ૨જી કેશવલાલ ભટ્ટ |
ઢાળ ૩જી → |
ઢાળ ૨ જી
અંતર્યામી ક્યાં જશો, નહીં જાવા દૌં હરી રે;
હઠથી રાખીશ, હવે મનમંદિરમાં ધરીરે. એ ટેક.
મોહન તમને ઘણા મનાવું, ઘર મેલીને ન ઘટે જાવું,
નિર્દય આમ ન થાવું, પ્રભુ પદ વીસરી રે. અંતર૦ ૧
રીઝવવાની રીત ન જાણું, મનગમતી રીતે વરતાણું;
મન ગભરાણું, બીજી કાશ કરી કરી રે. અંતર૦ ૨
જેવો તેવો તો એ તમારો, તજવાથી નહીં આવે આરો;
દીનાનાથ ઉગારો, રખડ્યો પેટ ભરી ભરી રે. અંતર૦ ૩
અંધ થયો હું અજ્ઞાનપણેથી, પાસે છે પણ ન જડ્યા તેથી;
કેશવ થાક્યો એથી, ફોકટ ફરી ફરી રે. અંતર૦ ૪