પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૮ આત્માના આલાપ તમે મેટા માણસ છે. તમારા શબ્દ જ બસ છે. અમારા ધંધામાં તેને નાખવાને મારે વિચાર નથી. હું પણ એવું જીવન જીવી નથી. જમીનદારે મને ઈજજતભેર રાખી હતી. ગૌરવભેર મેં તેને જન્મ આપે છે અને ઉછેરી છે. ફરીથી આ નરકમાં પડે એ પહેલાં તેને એકના હાથમાં સોંપીને હું આંખ મીંચીશ. “ નાગમંગલમ જમીનદારથી જન્મેલ છે કરી એક નંબરની શેરીમાં ધંધ. કરે છે ” એવી બદનામી ન આવવી જોઈએ. એ તમે સંભાળજે.' તમે કહ્યું એવી તમારી દીકરી નહિ થાય, મા ! ફિકર કરશે નહિ ! હું જ રાજારામનને વાત કરી છે. જે તેણે આઝાદી ન મળે ત્યાં સુધી નહિ પરણવાની મંદિરમાં પ્રતિજ્ઞા લીધી ન હતી તે હું જ તિરુવેડકમ મંદિરમાં કે વર્ધા આશ્રમમાં લઈ જઈને કાલે જ બન્નેનાં લગ્ન કરાવી આપત – પ્રહદીશ્વરને કહ્યું. ધનભાગ્યમે સળી જેવી બની ગયેલ ઢીલી આંગળીઓવાળા હાથ જોડીને તેમને નમન કર્યું. એથી આગળ બોલવાની તેનામાં શક્તિ ન હતી, તેઓ વિદાય લઈને તેની સાથે નીકળ્યા. આવાં પવિત્ર હૃદયે ક્યાંક કયાંક ખૂણેખાંચરે અંધારામાં પડ્યાં છે, અને તેમને ખ્યાલ આવે. ધન માગ્યમને આટલો કેમળ સ્વભાવ હશે, એની તેમને ક૯પના પણ ન હતી. - તે રાતે રાજારામન, પ્રહદીશ્વરન, સેની અને મુત્તિર્લપ્પન પિતાના ઘેર જમવા આવવા માટે ધનભાગ્યમે કહેવડાવ્યું. આ માટે મમ્માએ આવીને સોનીને કહ્યું. સનીએ મેડા પર આવીને પ્રહદીશ્વરને કહ્યું, તે ત્યાં ગયા ત્યારે પ્રહદીશ્વરને ધનભાગ્યમને હસતાં હસતાં કહ્યું, “મોટાં મા! નક્કી કર્યા બદલ જમાડે છે ને ? ” ધનભાગ્યમનું મોં મલકી ગયું. આખું ઘર બરાસકસ્તૂરની સુવાસથી .. . * * . . *