પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જો ધર્મપરિણતસ્વરૂપ જીવ શુદ્ધોપયોગી હોય તો
તે પામતો નિર્વાણસુખ, ને સ્વર્ગસુખ શુભયુક્ત જો. ૧૧.

અશુભોદયે આત્મા કુનર, તિર્યંચ ને નારકપણે
નિત્યે સહસ્ર દુઃખે પીડિત, સંસારમાં અતિ અતિ ભમે.૧૨.

અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગપ્રસિદ્ધને. ૧૩

સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વીતરાગ ને
સુખદુઃખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. ૧૪.

જે ઉપયોગવિશુદ્ધ તે મોહાદિઘાતિરજ થકી
સ્વયમેવ રહિત થયો થકો જ્ઞેયાન્તને પામે સહી.૧૫.

સર્વજ્ઞ, લબ્ધસ્વભાવ ને ત્રિજગેંદ્રપૂજિત એ રીતે
સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જિનો કહે. ૧૬.

વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે,
તેને જ વળી ઉત્પાદધ્રૌવ્યવિનાશનો સમવાય છે. ૧૭.

ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુમાત્રને,
વળી કોઈ પર્યયથી દરેક પદાર્થ છે સદ્ભૂત ખરે. ૧૮.

પ્રક્ષીણઘાતિકર્મ, અનહદવીર્ય, અધિકપ્રકાશ ને
ઇન્દ્રિય -અતીત થયેલ આત્મા જ્ઞાનસૌખ્યે પરિણમે. ૧૯.

કંઈ દેહગત નથી સુખ કે નથી દુઃખ કેવળજ્ઞાનીને,
જેથી અતીન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજે. ૨૦.

પ્રત્યક્ષ છે સૌ દ્રવ્યપર્યય જ્ઞાન -પરિણમનારને;
જાણે નહીં તે તેમને અવગ્રહ -ઈહાદિ ક્રિયા વડે. ૨૧.

ન પરોક્ષ કંઈ પણ સર્વત: સર્વાક્ષગુણસમૃદ્ધને,