પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪


ત્રણ મહીનાની મુદ્દત ખાસ આપણી તરફથી જ માગવામાં આવેલી છે. માલિકો પંદર દિવસની મુદત સ્વીકારવા તૈયાર હતા. પણ આપણી માગણી ખરી છે એ બતાવવા મુંબઇમાં કેટલીક તપાસ કરવાની જરૂર છે. પંચ સાહેબને અહીંની સ્થિતિ બતાવવી, મજુરોની રહેણીનો અભ્યાસ કરાવવો, એ બધું જરૂરનું છે. એ ન જાણે ત્યાં સુધી તેઓને પૂરો ખ્યાલ ન આવી શકે. આવું ચોકસ કામ થોડા દિવસમાં પૂરું ન થઇ શકે. પણ બની શકશે તેટલી ઉતાવળે કાર્ય પૂરું કરીશું.

કેટલાક ભાઇઓએ લૉક-આઉટ દરમીયાનના પગારની ઇચ્છા બતાવી છે. અમારે કહેવું જોઇએ કે આપણે આ પગાર નથી માગી શકતા. આપણે ૨૦ ટકા કબૂલ ન રાખ્યા એટલે લૉક-આઉટ અથવા હડતાલ એમાંથી એકની જરૂર હતી. આપણે ૨૨ દહાડા દુ:ખ ભોગવ્યું તે આપણી ફરજ હતી ને તેમાં આપણો સ્વાર્થ હતો. એ દુ:ખની કિમ્મત મેળવી લીધી. એ કિમ્મત આ સમાધાની છે. હવે લૉક-આઉટનો પગાર કેમ મંગાય ? લૉક–આઉટનો પગાર માગવો એ માલિકોના પૈસાથી લડત લડ્યા જેવું છે. એવો વિચાર મજુરોને શરમાવનારો છે. લડવૈયા પાતાના બળ ઉપર જ લડી શકે. વળી મજુરોને માલિકોએ પગાર ચુકવી દીધો. હવે તે મજુરો નવી નોકરી શરૂ કરે છે એમ પણ કહી શકાય. એટલે બધું વિચારતાં મજુરોએ લૉક-આઉટ દરમીયાનનો પગાર લેવાનો વિચાર માંડી વાળવો જોઇએ.

મજુરોને પગાર ૨૦ દહાડા પછી ચુકવાશે. એ દરમીયાન મજુરોની શી દશા ? ધણાની પાસે કંઇ પૈસો