૨
મજુરોની પ્રતિજ્ઞા શી છે તે આપણે ગઈ કાલના અંકમાં જોયું. એ પ્રતિજ્ઞા કેમ પળે એ વિચારવાનું છે. આપણે જાણીએ છીએ કે માલિકોની પાસે કરોડો રૂપીયા છે, મજુરોની પાસે કાંઇ નથી. પણ જો મજુરોની પાસે કાંઇ પૈસો! નથી તો તેઓની પાસે કામ કરી શકે એવા હાથ અને પગ છે; અને દુનીયામાં એવો એકે ભાગ નથી કે જ્યાં મજુર વિના ચાલી શકતું હોય. તેથી મજુર જો બરોબર સમજે તો જાણી શકે કે ખરી સત્તા તેની છે. મજુર વિના પૈસે રાંક છે. આટલું જ્ઞાન મજુરને થાય તો તેને ખાતરી થયા વિના ન રહે કે તેને જીત મળશે. પણ એવી સત્તા ભોગવનાર મજુરમાં અમુક ગુણો હોવા જોઇએ અને તે ન હોય તો તે નમાલો થઈ જાય છે. એવા કયા ગુણ હોવા જોઈએ એ આપણે તપાસી જઇએ.
૧ મજુર સત્યવાદી હોવો જોઈએ. તેને જુઠું બોલવાનું કંઇ કારણ તો રહેતું જ નથી. પણ જો જુઠું બોલે તો તેને માગી મજુરી નથી મળી શકતી. સત્ય બોલવાવાળો હમેશાં એકવચની રહેશે, અને એકવચની મજુર કદિ હારે જ નહિ.
૨ દરેકમાં હિંમત હોવી જોઈએ. ‘મારી નોકરી ગઈ. હવે મારું શું થશે’ એવી ફોકટ ધાસ્તી રાખી આપણામાંના ઘણા સદાય ગુલામગીરી કરીએ છીએ.
3 આપણામાં ન્યાયબુદ્ધિ હોવી જોઇએ. જો આપણે લાયકાત ઉપરાંત માગીએ તે આપણને ઘણા ઓછા ધણી