આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
श्री भगवान बोल्या :
હે અર્જુન ! શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય, સ્વર્ગથી વિમુખ રાખનાર અને અપજશ દેનાર એવો આ મોહ તને આવી વિષમ ઘડીએ ક્યાંથી થઈ આવ્યો ? ૨.
હે પાર્થ ! તું નામર્દ ન થા. આ તને ન શોભે. હ્રદયની પામર નિર્બળતાનો ત્યાગ કરી હે પરંતપ ! તું ઊઠ. ૩.
अर्जुन बोल्या :
હે મધુસૂદન ! રણભૂમિમાં બાણો વડે હું ભીષ્મ અને દ્રોણની સામે કેમ લડું ? હે અરિસૂદન ! એઓ તો પૂજનીય છે. ૪.
મહાનુભાવ ગુરુજનોને ન મારતાં આ લોકમાં મારે ભીક્ષાથી નિર્વાહ કરવો એ પણ સારું છે, કેમ કે ગુરુજનોને મારીને તો મારે લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપી ભોગો જ ભોગવવા રહ્યા. ૫.
૧૧