પૃષ્ઠ:Anashakti Yog.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્યારે, હે મહાબાહો! ગુણ અને કર્મના વિભાગના રહસ્યને જાણનારો પુરુષ 'ગુણો ગુણોને વિશે વર્તે છે' એમ ધ્યાનમાં આણીને તેમાં આસક્ત નથી થતો. ૨૮.

નોંધ: જેમ શ્વાસોચ્છવાસ આદિ ક્રિયા પોતાની મેળે થાય છે; તેને વિશે મનુષ્ય આસક્ત નથી થતો, અને જ્યારે તે અવયવોને વ્યાધિ હોય ત્યારે જ મનુષ્યને તેની ચિંતા કરવી પડે છે, અથવા તેને તે અવયવની હસ્તીનું પણ ભાન થાય છે, તેમ સ્વાભાવિક કર્મો પોતાની મેળે થતાં હોય તો તેમને વિશે આસક્તિ ન હોય. જેનો સ્વભાવ ઉદારતાનો છે તે પોતે ઉદાર છે એમ જાણતો પણ નથી; તેનાથી દાન કર્યા વિના રહેવાનું જ નથી. આવી અનાસક્તિ અભ્યાસ અને ઈશ્વરકૃપા વડે જ આવે.

પ્રકૃતિના ગુણોથી મોહ પામેલા મનુષ્યો ગુણોનાં કાર્યોમાં આસક્ત રહે છે. એવા અલ્પજ્ઞાની મંદબુદ્ધિ લોકોને જ્ઞાનીઓએ અસ્થિર ન કરવા જોઈએ. ૨૯.

૧૧

અધ્યાત્મ વૃત્તિ રાખી બધાં કર્મો મને અર્પણ કરીને આસક્તિ અને મમત્વ છોડી રાગરહિત થઈ તું યુદ્ધ કર. ૩૦.

નોંધ : દેહમાં રહેલા આત્માને જે ઓળખે છે અને

૩૬