આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આમ બુદ્ધિથી પર એવા આત્માને ઓળખીએ અને આત્મા વડે મનને વશ કરીને હે મહાબાહો! કામરૂપ દુર્જય શત્રુનો સંહાર કર. ૪૩.
નોંધ : મનુષ્ય જો દેહમાં રહેલા આત્માને જાણે તો મન તેને વશ રહે, ઈન્દ્રિયોને વશ ન રહે. અને મન જિતાય તો કામ શું કરી શકે?
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'કર્મયોગ' નામનો ત્રીજો અધ્યાય અત્રે પૂરો થાય છે.
૪૧