પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અવિનાશી અકર્તા જાણજે. ૧૩.

મને કર્મો સ્પર્શ કરતાં નથી. મને એમના ફળને વિશે લાલસા નથી. આમ જે મને સારી રીતે જાણે છે તે કર્મથી બંધન પામતા નથી. ૧૪.

નોંધ: કેમ કે મનુષ્યની પાસે કર્મ કરતાં છતાં અકર્મી રહેવાનો એ સર્વોત્તમ દૃષ્ટાંત છે.

અને બધાનો કર્તા ઈશ્વર જ છે, આપણે માત્ર નિમિત્તમાત્ર જ છીએ, તો પછી કર્તાપણાનું અભિમાન કેમ હોય ?

આમ જાણીને પૂર્વેના મુમુક્ષુ લોકોએ કર્મને કર્યાં છે, તેથી તું પણ, પૂર્વજો સદા કરતા આવ્યા છે તેમ, કર્મને જ કરતો રહે. ૧૫.

૧૪

કર્મ શું, તેમ જ અકર્મ શું, એ વિશે ડાહ્યા પુરુષો પણ મોહ પામ્યા છે. માટે કર્મ વિશે હું તને બરાબર કહીશ, જે જાણીને તું અશુભથી બચી શકીશ. ૧૬.

કર્મનો, વિકર્મ(એટલે કે નિષિદ્ધ કર્મ)નો અને અકર્મનો ભેદ જાણવો જોઈએ કર્મની ગતિ પર છે. ૧૭.

૪૬