પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વળી કેટલાક શ્રવણાદિ ઇન્દ્રિયોના સંયમરૂપ પણ યજ્ઞ કરે છે, અને બીજા કેટલાક શબ્દાદિ વિષયોને ઇન્દ્રિયાગ્નિમાં હોમે છે. ૨૬.

નોંધ: સાંભળવાની ક્રિયા ઇત્યાદિનો સંયમ કરવો તે એક; અને ઇન્દ્રિયોનો ઉપયોગ કરતાં છતાં તેમના વિશયોને પ્રભુપ્રીત્યર્થે વાપરવા - જેમ કે ભજનાદિ સાંભળવાં - તે બીજો; વસ્તુતાએ બન્ને એક જ છે.

વળી બીજા, તમામ ઇન્દ્રિયકર્મોને અને પ્રાણકર્મોને જ્ઞાનદીપકથી સળગાવેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે. ૨૭.

નોંધ: એટલે પરમાત્મામાં તન્મય થઈ જાય છે.

આમ કોઈ યજ્ઞાર્થે દ્રવ્ય આપનારા હોય છે; કોઈ તપ કરનારા હોય છે, કેટલાક અષ્ટાંગયોગ સાધનારા હોય છે. જ્યારે કેટલાક સ્વાધ્યાય અને જ્ઞાનયજ્ઞ કરે છે. આ બધા તીક્ષ્ણ વ્રતધારી પ્રયત્નશીલ યાજ્ઞિક છે. ૨૮.

બીજા પ્રાણાયામમાં તત્પર રહેનારા અપાનને પ્રાણવાયુમાં હોમે છે,

૫૦