પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્મ સંન્યાસયોગ


આ અધ્યાયમાં કર્મયોગ વિના કર્મસંન્યાસ હોય જ નહીં અને વસ્તુતાએ બન્ને એક જ છે એમ બતાવ્યું છે.

૧૩

अर्जुन बोल्या:

હે કૃષ્ણ! કર્મોના ત્યાગની અને વળી કર્મોના યોગની પણ તમે સ્તુતિ કરો છો એ બેમાંથી શ્રેયસ્કર શું છે તે મને બરોબર નિશ્ચયપૂર્વક કહો. ૧.

श्रीभगवान बोल्याः:

કર્મોનો સંન્યાસ અને યોગ બન્ને મોક્ષદાયક છે. તેમાંયે કર્મસંન્યાસ કરતાં કર્મયોગ ચડી જાય છે. ૨.

૫૬