પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધ્યાન યોગ

આ અધ્યાયમાં યોગ સાધવાનાં એટલેકે સમત્વ પામવાનાં કેટલાંક સાધનો બતાવ્યાં છે.

૧૮

श्रीभगवान बोल्याः:

કર્મફળનો આશ્રય લીધા વિના જે મનુષ્ય વિહિત કર્મ કરે છે તે સંન્યાસીયે છે, અને યોગી પણ છે; જે અગ્નિનો એટલે કે અગ્નિહોત્રનો અને બીજી ક્રિયા માત્રનો ત્યાગ કરીને બેસે છે તે નહીં. (૧)

નોંધ: વિહિત એટલે કર્તવ્ય તરીકે પ્રાપ્ત થયેલું (સત્કર્મ). અગ્નિ એટલે સાધન માત્ર. જ્યારે અગ્નિ મારફતે હોમ થતા ત્યારે અગ્નિની આવશ્યકતા હતી, સંન્યાસીઓ હોમ ન કરી શકે એટલે એમને નિરગ્નિ કહેતા. આ યુગમાં માનો કે રેંટિયો સેવાનું સાધન છે તો તેનો ત્યાગ કરવાથી સંન્યાસી નથી થવાતું.

૬૭