પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯. ધર્મવિચારનો પ્રભાવ

૪-૧૧-૮૮

આજ નવું વર્ષ, છે. કાર્તિક સુદ ૧ રવિવાર. પ્રથમ શરીરસ્થિતિ. ગમે તે કારણોથી – કદાપિ લખવાવાંચવાથી વિચારમાં નિમગ્ન રહેવાય તેથી-વાયુ ઉપડી ગયો છે, વચમાં તો ઉલટી, તાવ ખૂબ થયાં ને બેહાલ થવાયું. હાલ તે મટ્યાં છે. પણ શક્તિ જરા આવી હતી તે તદ્દન ગઈ છે, અને ગળામાં તાળવા તરફ પણ બોચીની ભીંતે મોહોટું વ્રણ જણાઈ આવ્યું છે તેથી ઘણી ધાસ્તી ને ગભરાટ ઉઠ્યા છે. ચાણોદવાળાની દવા ફાયદો ન જણાવાથી માસ ૧–૧| અજમાવી મુકી દીધી છે. ઇંદોરથી આવી પડેલો એક સાધુ દવા કરે છે તેને આજ ૧૫-૨૦ દિવસ થયા છે છતાં અવસ્થા તો આવી ચાલ્યાં ગઈ છે, એટલે હવે તેને માંડી વાળવાનો વિચાર થયો છે. જામનગર જવા વિચાર હતો, તે હવે મુંબઈ જવા વિચાર કર્યો છે કેમકે જે વૈદ્ય પાસે જામનગર જવું હતું તે મુંબઈ ગયા છે.

શરીરની આ અવસ્થા છે. સંબંધોમાં જોઈએ તો સર્વે સ્નેહસંબંધીનો પ્રેમભાવ દિનપ્રતિદિન મારી તબીઅત પર વધારે વધારે ખેંચાતો જાય છે ને બધાં મારે માટે પોતાનો પ્રાણ પાથરે છે. નોકરીની આવકમાં અર્ધો પગાર આવે છે, પણ તે હવે ડીસંબર સુધી જ આવી શકે તેમ છે. પછી પા પગાર આવે તેમ છે. વધારે રજા માટે અરજી મોકલેલી છે પણ હજુ ઉત્તર નથી તે જો મળશે તો પા પગાર પણ મળે. નવી નોકરી શોધવા માટે રા. રા. મનઃસુખરામજી જે મહાપ્રયત્ન ચલાવતા હતા તેમાં હવે કાંઈક આશા બંધાઈ છે. કચ્છના દરબારે નોકરી આપવા કબુલ કર્યું છે તે સરકાર મારફત લેવડાવવાની હવે ગોઠવણ કરવાની છે.

લખવાવાંચવાનું માસ ૨-૩ તો સારૂં ચાલ્યું. ૧૦-૧૫ દિવસથી કેવળ નિરુત્સાહ થઈ જવાયું છે એટલે તેમાં પણ બહુ મંદતા પેસી ગઈ છે. સુધારાની

૧૦૯