મુક્યાં, ત્યારે તે બોલી:–“હવે આપણને બીજાં બચ્ચાં થશે.” બન્ને જણાં ફરી પાછાં ખુશ ખુશ થઈ ગયાં. પણ તેમનો હરખ ઝાઝીવાર રહ્યો નહિ. નાગ ફરી પાછો આવ્યો અને તેમનાં બચ્ચાં ચોરી ગયો.
કાગડો અને કાગડી વિચાર કરવા લાગ્યાં:–“હવે આપણે શું કરવું ? ગમે તેમ કરીને આ નાગને હાંકી કાઢવો જોઇએ, નહિ તો એ હંમેશાં આપણાં બચ્ચાં તાણી જશે. એ અહીં હશે ત્યાંસુધી આપણું એક પણ બચ્ચું કદીએ સલામત નહિ રહી શકે. ચાલો આપણે પાસેના ઝાડ આગળ રહેનારા શિયાળની સલાહ લઈએ.” આખરે બન્ને જણા તે શિયાળની પાસે ગયા, અને તેને પોતાની સઘળી હકીકત કહી. તે સાંભળીને શિયાળ બોલ્યો:–“ભાઈ! આમ દીલગીર શું કામ થાઓ છો ? ઘણીવાર જે કામ બળથી થતું નથી, તે કળથી થાય છે. લુચ્ચાની સાથે લુચ્ચાઈ કરીએ, તોજ ફાવીએ. આ નાગની સાથે પણ એવીજ કળા વાપરીશું, તો એનો નાશ થઇ શકશે.”
કાગડાએ પૂછ્યું:–“ભાઈ ! એ નાગનો કયા ઉપાયવડે નાશ થશે, તે મ્હને કહો.”
શિયાળે કહ્યું:–“આ શહેરમાં એક રાજાની કુંવરી રહે છે. તે રોજ પોતાની વીંટી આંગળીપરથી કાઢી નાંખીને બહાર મુકે છે; અને પછી ન્હાય છે. એ કુંવરી ન્હાવા બેસે, ત્યારે એની વીંટી તું તારી ચાંચમાં ઉપાડી લઈ આવજે અને પેલા નાગના દર આગળ નાંખી દેજે. એટલે ત્હને ચાંચમાં વીંટી સાથે ઉડી જતો જોઈને, રાજાના સિપાઇઓ