પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ જું
ભક્ષણનીતિ
 


જેમ બને તેમ જલદી ધારાસભાઓની હકુમતમાં આવવી જોઈએ. … આ કમિટીને લાગે છે કે જમીનમહેસૂલ નક્કી કરવાનાં મુખ્ય ધોરણો, જમીનની કિંમત કાઢવાની રીત, સરકારધારો અને ગણોતનું પ્રમાણ, જમાબંધીની મુદ્દત અને વધારવાનું ધોરણ — એવી એવી ખેડૂતોના કલ્યાણની સાથે સંબંધ ધરાવનારી બાબતો વિશે કાયદો કરવાનો સમય આવી પહોંચ્યો છે.”

આ વચનો તે ૧૯ર૪ સુધી વચનો રહ્યાં. મુંબઈ ધારાસભાના એક સભ્યને થયું કે આ વચનોનો અમલ કરાવી શકાય તો કરાવવો,

તેટલા માટે એમણે એવો ઠરાવ રજૂ કર્યો, કે ‘એ વચનોનો અમલ થાય એટલા માટે અને એ વચનો મુજબ કાયદો ઘડવાનું સૂચવવાને માટે ધારાસભાએ પોતાના સરકારી અને લોકનિયુક્ત સભ્યોની કમિટી નીમવી, જેમાં લોકનિયુક્ત સભ્યોની બહુમતી હોય, અને એ કમિટીએ ભલામણ કરેલો કાયદો પસાર થાય નહિ ત્યાં સુધી કોઈ પણ રિવિઝનનું કામ શરૂ ન કરવામાં આવે, અને નવી આકારણી દાખલ ન કરવામાં આવે.’ સરકારને આ ઠરાવ શેનો ગળે ઊતરે ? સરકારી સભ્યોએ એનો વિરોધ કર્યો, પણ બહુમતીથી એ પસાર થયો. કાયદો કરવાને માટે કમિટી નીમવાની વાત તો પાર્લામેંટની હતી એટલે ઠરાવના તેટલા ભાગનો અમલ કરી એક કમિટી નીમી, પણ ઠરાવનો કાળા અક્ષરે છાપેલો ભાગ જે ઘણા મહત્ત્વનો હતો તે વિષે અખાડા કર્યા. આ વાતનેયે બીજાં ત્રણ વર્ષ થયાં, જોઇંટ કમિટીની ભલામણનો મૂળ અર્થ કોરે રહ્યો, કમિટી નિમાઈ, પણ એક પછી એક તાલુકાની આકારણી તો ચાલુ જ રહી, અને ધારાસભાનો ઠરાવ ન જ થયો હોય એવી રીતે સરકાર વર્તી. ત્યારપછી ૧૯ર૭ માં સરકારને જાગૃત કરવાનો બીજો એક ઠરાવ ધારાસભા આગળ આવ્યો. એ ઠરાવમાં ધારાસભાએ ગવર્નર અને તેની કાઉંસિલને ભલામણ કરી, કે ‘મહેસૂલકમિટી નિમાઈ છે તેની ભલામણ ધ્યાનમાં લઈને કાયદો ઘડવામાં આવે, અને ૧૯૨૪ માં થયેલાં ઠરાવ છતાં અનેક રિવિઝન સેટલમેંટ થયાં છે માટે એ કાયદાનો અમલ ૧૯૨૪ ના માર્ચ મહિના પછી થયેલા સેટલમેંટને વિષે પણ થાય, અને એ

૧૩