પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


ઉપરના પત્રની પહોંચ

(ગવર્નરના ખાનગી મંત્રીનો જવાબ)

ગવર્નમેન્ટ હાઉસ,
મુંબઈ, ૮-૨-૧૯૨૮
 

શ્રીયુત પટેલ,

બારડોલી તાલુકામાં થયેલી નવી આકારણી બાબતનો તમારો તા. ૬ઠ્ઠીનો કાગળ નામદાર ગવર્નરસાહેબ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, અને તે ઉપર વિચાર કરવા તથા તેનો નિકાલ કરવા મહેસૂલખાતા તરફ તે રવાના કરવામાં આવ્યો છે.

આપનો
જે. કેર
પ્રાઇવેટ સેક્રેટરી
 
સરકારનો લૂલો બચાવ

નં. ૭૨૫૯-બી/૨૪-૩૧૮૬
મહેસૂલખાતું
મુંબઈ, ૧૬-૨-૧૯૨૮
 


જે. ડબલ્યુ. સ્મિથ આઈ. સી. એસ.

મંત્રી, મુંબઈ સરકાર મહેસૂલખાતું, તરફથી
 

શ્રી. વલ્લભભાઈ ઝ. પટેલ જોગ,

બાબતઃ બારડોલી તાલુકાની નવી આકારણી

સાહેબ,

સૂરત જિલ્લાના બારડોલી તાલુકાની થયેલી નવી આકારણીના સંબધમાં નામદાર ગવર્નરને તા. ૬-૨-૧૯૨૮ના રોજ તમે જે પત્ર લખેલો તેનો નીચે પ્રમાણે જવાબ આપવાની ગવર્નર અને તેની કાઉન્સિલ તરફથી મને સૂચના થઈ છે.

ચોર શાહુકારને દંડે

૨. કાગળની શરૂઆતમાં તમે જણાવો છો કે સરકાર સાથે બનતાં લગી મોટો ઝગડો ટાળવા તમે ઇંતેજાર છો, અને તેથી નામદાર ગવર્નરને તમે લખી જુઓ ત્યાં સુધી તા. ૪ થીના રોજ મળેલી તેમની સભામાં કોઈ પણ નિર્ણય ઉપર આવવાનું મુલતવી રાખવાની તમે સલાહ આપી, અને તમારી સલાહ માનીને એક અઠવાડિયું રાહ જોવા તેમણે કબૂલ કર્યું. જો ૧૩ મીના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલી હકીકત ખરી હોય તો તમે તા. ૧૨મીના રોજ બારડોલી મુકામે મળેલી પરિષદમાં તમારા ભાષણમાં

૩૫૫