વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન મારા જીવનમાં એક પછી
એક અપલક્ષણનો પગપેસારો થતો ચાલ્યો હતેા. રજાના
દિવસોમાં ઘોડેસ્વારીની સાથોસાથ શિકારની લત લાગી.
દશેરાને દિવસે પિતાજી શસ્ત્ર–પૂજા કરતા તેથી શસ્ત્રોમાં જ
મેં ક્ષત્રિયવટ માની લીધી. હું કાંઈ સિંહ, વાઘ અથવા
જંગલી સૂવરોનો શિકાર કરીને લોકોનાં ખેતરોની રક્ષા કરતો
નહોતો. નિરપરાધી પક્ષીને ગોળી છરાથી વીંધી તિસમારખાંથી
કીર્તિને વરી રહ્યા હતો ! બીજી વાત વધુ મલિન
છે. પાપનો પ્રત્યક્ષ પ્રવેશ મારામાં થવા લાગ્યો. હું પિતાજીનો
પરમ વિશ્વાસુ હોવાથી પૈસાની તો રેલમછેલ હતી. એમાં
વિલાસનું નિમંત્રણ મળ્યું. અમારા મકાનની પાસે જ
એક બેઠકમાં મુજરો થયો. મુજરામાં વેશ્યા બેઠી બેઠી નાચ્યા
વિના ગાય છે. મને નિમંત્રણ મળ્યું. મેં કહ્યું કે પિતાજી
નાચતમાશાની વિરૂદ્ધ છે, એટલે એની રજા માગવા હું નહિ
જાઉં. મિત્રોએ માર્ગ બતાવ્યો કે પિતાજી પોઢી ગયા પછી
પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૪૨
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.