પ્રયાગમાં સાંભળ્યું કે ત્રિવેણીને પેલે પાર જંગલમાં સિંહને
પાળનાર એક યોગી રહે છે, દિવસભર એ અદૃશ્ય રહે છે
અને રાતે જ મળે છે. હું એનાં દર્શને ચાલ્યો. રાતે દસ
બજે એ આશ્રમે પહોંચ્યો, તો ત્યાં એક વૃદ્ધ, કૌપીનધારી
મહાત્માને મેદાનમાં સમાધિસ્થ બેઠેલા દેખ્યા. ત્રણ બજ્યા
સુધી ન તો એ તપસ્વીની સમાધિ ખુલી, કે ન તો
અમારી આંખ બીડાઈ. બરાબર ત્રણ બજે સિંહની ઘોર
ગર્જના સંભાળાઈ. જોતજોતામાં તો એ વિકરાલ વનરાજ
કોઈ જટાધારીની માફક પોતાની કેશવાળી હલાવતો ને
મશાલો જેવી આંખો, ટમકાવતો સડેડાટ યોગીરાજની
સામે આવતો દેખાયો. આવીને એ અવધૂતના ચરણો
ચાટવા મંડ્યો. યોગીએ આંખો ઉઘાડીને કેસરીના
મસ્તક પર પ્યારભર્યો હાથ ફેરવ્યો. ફેરવીને કહ્યું 'તું
આવ્યો બચ્ચા ! સારૂ, હવે ચાલ્યો જા.' ગુરૂદેવના ચરણોમાં
મસ્તક મેલીને એ વનરાજે જંગલની વાટ લીધી. દેખીને
હું સ્તબ્ધ બની ગયો. હું મહાત્માના ચરણોમાં પડી
ગયો. મારાથી બોલાઈ ગયું કે 'ઓહોહો યોગીવર !
આટલો ચમત્કાર !' ઉત્તર મળ્યો કે 'ચમત્કાર કશો જ
નથી બેટા ! પરંતુ બનેલું એવું કે આ સિંહને કોઈ