પૃષ્ઠ:Be Navalkatha.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
 

એના ઉછાળાને, મે તરત જ ખાવી દીધેલા. પણ સંભવ છે કે એ અવાજે ચીધેલા રસ્તા જ સાચા હાય, ને હું આડે રસ્તે ચડી ગયે હાઉં. મારી ધધાની કરજો, મારા વનની તે મારા કુટુંબની બધી ગોઠવણ, ને સમાજ અને સરકારના કામકાજમાં મેં લીધેલે રસ ને

મારા રંગરાગ, એ બધા મારા અવળા ધધા હોય. એ બધાં કામાના
તેણે પોતાના મનની સમક્ષ અચાવ કરવાના પ્રયત્ન કર્યાં, પશુ એ

બચાવ વા લૂલે છે તેનું તેને એકાએક ભાન થઈ આવ્યું. તેણે જોયુ ક્રુ મે જે કઈ કર્યું છે તેને માટે કા બચાવ જ થઇ શકે એમ નથી. તે મનમાં કહેવા લાગ્યા પણ જો એમ હાય, ને મને જે કાં મળેલું તે મે વેડછી નાખ્યું ને હવે એ ભૂલ સુધારવા કો લાજ જ નથી, એવું ભાન મનમાં લઈને હું આ સૌંસારની વિદાય લેવાના હૈ, તે શું?’ તેણે સાફા પર પડયે પડ્યે પોતાના જીવનનું નવી જ રીતે અવલોકન કરવા માંડ્યું. સવારે તેણે પહેલાં નાકરને, પછી પત્નીને, પછી દીકરીને, તે પછી ડાકટરને એક પછી એક જોયેલાં ત્યારે તેમનુ એકએક વચન ને તેમની એકએક હિલચાલ તેને કહી આપતાં હતાં કે તેને રાતે જે ભીષણુ સત્ય દેખાયુ તે સાચું છે. એ બધાંમાં એણે પેાતાનુ જ પ્રતિબિંબ જોયું; પેાતે જે જે વસ્તુને માટે વ્યા હતા તે બધી એમનામાં મૂર્તિ મત થયેલી જોઇ; અને તેને દીવા જેવું દેખાઈ આવ્યું કે આ સત્ય નથી, પણુ આ એક ભીષણુ ને જબર- દસ્ત છેતરપિ’ડી છે, તે એણે જીવન અને મૃત્યુ અંનેને ઢાંકી દીધાં છે, અને આ વસ્તુસ્થિતિનું ભાન થયુ એને લીધે એની સારીરિક વેદના દસગણી વધી ગઈ. તે કણસવા લાગ્યા, તે તે જ ઉછાળા મારવા લાગ્યું; અને પહેરેલાં કપડંથી શ્વાસ રૂંધાતા હતા ને જીવ અકળાતા હતા એટલે કપડાં ખેચવા લાગ્યા. ને એટલા માટે એને કપડાં અમારાં થઈ પડ્યાં.