પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


સાસુ સસરો સગાં સંબંધી, તેની સેવા કીધી;
દેવાનંદ કહે સાધુ જનની, તેં સેવા તજી દીધી રે— પામર○ ૩




પદ ૫ રાગ એજ.

શીલવંતા સાધુ, સાંભળજો કરી પ્રીતિ;
આઠ પ્રકારે અબળા તજવી, મન ઇંદ્રીને જીતી રે... શીલ꠶ ૧

નારીકથા શ્રવણ ન ધરવી, તે વિખવેલી કા’વે;
તેની કીરતી તે નવ કરવી, ભૂલે મન ભરમાવે રે... શીલ꠶ ૨

વનિતા હાસ વિનોદ કરીને, રાત દિવસ જ્યાં રે’વે;
તે ઠેકાણે સાચા મુનિવર, જાણી પાવ ન દેવે રે... શીલ꠶ ૩

અબળા અંગે કાળી ગોરી, નેત્ર ભરી નહિ દેખે;
બાળ વરધ નવ જોબનવાળી, તે માદક સમ લેખે રે... શીલ꠶ ૪

છેટે રહીને છાની વાતું, કામનિયુંને કા’વે;
દેવાનંદ કહે તે પોતાનું, હાથે નાક વઢાવે રે... શીલ꠶ ૫




પદ ૬ રાગ એજ.

નિષ્કામી નરને, વનિતાની વાત ન કરવી;
માયાની મૂર્તિ જાણીને, નાગણ જ્યું પરહરવી રે... નિષ્કામી꠶ ૧

માનનીને મળવાનો મનમાં, કૂડો ઘાટ ન કરવો;
મનસા પાતક મોટું લાગે, એ અધર્મથી† ડરવો રે... નિષ્કામી꠶ ૨

ભામનિયું તે ભેળી થઈને, જે ઠેકાણે જાવે;
શૌચવિધિ કરવાને સારુ, હરિજન ત્યાં નહિ આવે રે... નિષ્કામી꠶ ૩

આઠ પ્રકારે અબળા કેરો, ત્યાગ કરે તે ત્યાગી;
વિષય થકી વૈરાગ્ય જે પામ્યા, તે સાચા વૈરાગી રે... નિષ્કામી꠶ ૪

ભેખ ધરીને કામની ભેળો, બેસે ઊઠે ગાવે;
દેવાનંદ કહે એ જ અસાધુ, નિશ્ચે નરકે જાવે રે... નિષ્કામી꠶ ૫