પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત,
વૃત્તિવહે નિજભાવમાં, પરમાર્થે સમકીત. ૧૧૧

વર્ધમાન સમકીત થઈ, ટાળે મિથ્યાભાસ,
ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદવાસ. ૧૧૨

કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન,
કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩

કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય,
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪

છુટે દેહાધ્યાસ તો, નહિ કર્ત્તા તું કર્મ,
નહિં ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ. ૧૧૫

એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ,
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬

શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ;
બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ. ૧૧૭

નિશ્ચય સર્વે જ્ઞાનિનો, આવી અત્ર શમાય,
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધીમાંય. ૧૧૮

શિષ્ય-બોધબીજપ્રાપ્તિ કથન


સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વભાન,
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯

ભાસ્યું નિજ સ્વરૂપતે, શુદ્ધ ચેતના રૂપ,
અજર અમર અવિનાશિ ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦

કર્ત્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્ત્તે જ્યાંય,
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્ત્તા ત્યાંય. ૧૨૧

અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતના રૂપ,