પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
રજપૂતાણીનું પતિવ્રત.


તો હું મ્હારા જીવનનું એમાંજ સાર્થક માનીશ.”

લગભગ નવ વાગ્યા સુધી કોતવાલે વાટ જોઈ, પછી સમય વીતી જતો હોવાથી તેણે મોતીચંદને ફાંસીને લાકડે ચઢાવ્યો અને દોરી ગળામાં નાંખી દીધી. એવામાં બીરબલની સૂચના મુજબ રાણી પાલખીમાં બેસી ત્યાં જઈ પહોંચી અને મોતીચંદને બદલે પોતાને ફાંસીએ ચઢાવવા કોતવાલને વિનંતિ કરી, પણ કોતવાલે આનાકાની કરતાં રાણીએ વધારે હઠ પકડી. આ પ્રકાર ચાલતો હતો તેવામાં દુરથી “સબુર, સબુર” નો અવાઝ આવ્યો. સૌનું ધ્યાન તે તરફ આકર્ષાયું, તો અજાયબી વચ્ચે અમરસિંહને ઘોડો દોડાવતો તે તરફ આવતો જોયો. અમરસિંહે દોડતા ત્યાં આવી પહોંચી મોતીચંદને ફાંસી પરથી ઉતારી પોતે ફાંસીપર જઈ ઉભો, કોતવાલે કહ્યું “હવે તો ફરીથી બાદશાહનો હુકમ મળ્યા વગર મ્હારાથી કાંઈ કરી શકાય તેમ નથી.”

અમરસિંહને દુરથી આવતો જોઈ રાણી ત્યાંથી ચાલી ગઈ હતી એટલે અમરસિંહે તેને જોઈ ન હતી. આ તરફ કોતવાલ અમરસિંહ અને મોતીચંદને લઈ બાદશાહ પાસે ગયો. બાદશાહ અમરસિંહની આવી સાચવટ જોઈ ઘણોજ આશ્ચર્ય પામ્યો. કોતવાલે રાણીની પણ હકીકત બાદશાહને કહી સંભળાવી. બીરબલે તરતજ માણસ મોકલી રાણીને દરબારમાં તેડાવી. થોડી જ વારમાં રાણી દરબારમાં આવી પહોંચી. તેને જોતાંજ કાણીયા અમીરના તો હોંસ કોશજ ઉડી ગયા. અમરસિંહ પણ દાંત કચકચાવવા લાગ્યો, પણ ભર દરબારમાં શું કરી શકે ?!

બીરબલે ઉભા થઈ બાદશાહને અરઝ કરી “જહાંપનાહ