પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો સત્તરમી
-૦:૦-
રંડીયોકા યાર સદા ખુવાર
-૦:૦-

એક વખત શાહ અને બીરબલ બાગમાં બેસી આનંદની વાતો ચલાવી રહ્યા હતા. વાતપર વાત નીકળતાંજ શાહે બીરબલને પૂછ્યું કે, 'હે બીરબલ ! માણસ પોતાના મન પર કાબુ ન રાખતા વિષય વાસનામાં લપટાઈ જાય છે તે સમે તેને પોતાના શરીરનું પણ ભાન રહેતું નથી; અને તેની સાથે પોતાની તમામ માયા મીલકતનો નાશ કરી નાખે છે.

બીરબલ - સરકાર ! ઇશક આંધળો છે. આસપાસની ચીજો જોઇ શકતો નથી. ઇશ્કને વશ થયેલો માણસ સારા નરસાનો વીચાર કરી શકતો નથી. તેનો એક દાખલો થોડા સમય ઉપર મારા દીઠામાં આવ્યો હતો તે જો આપ રજા આપો તો કહી સંભળાવું.

શાહ-ખુશીની સાથે સંભાળવ.

બીરબલ-સાંભળો ત્યારે સરકાર ! ચંચલ નગરીમાં કરમચંદ કરીને એક ધનાઢ્ય રહેતો હતો, તે પોતાની પાછળ અનેક દોલત જગુ નામનો એક પુત્ર વારસ મુકી ગયો હતો. બાપના મરણ બાદ તેના હાથમાં બધી દોલત આવી એટલે તેણે વેપાર રોજગાર ઉપર ધ્યાન આપવાને બદલે રાંડના નાચ ગાયન અને તમાસા ઉપર મોહીત પડીને બાપના ચાલતા રોજગારને તજી દીધો. સંગ તેવો રંગ તે પ્રમાણે તેણે મીત્ર પણ તેવા મળ્યા હતા. તે રંગમાં ભમતાં ભમતાં તે એક વેશ્યા ઉપર આશક પડ્યો. તે ઈશ્કમાં એવો લીન થઈ ગયો કે, તેના વગર તેને જરા પણ ચહેન પડે નહીં. થોડે થોડે કરીને તેની તમામ માયા મીલકત તે ધુતારી રાંડે હરી લીધી, તે એટલા સુધી કે એક વખતના ખાધા જેટલું પણ તેની પાસે રહ્યું નહીં. તે ધુતારી રાંડે જોયું કે, હવે પાસે રાતી પાઇ પણ રહી નથી તેથી હવે તેને પોતાને ત્યાં રાખવામાં લાભ નથી ત્યારે તેને કાઢી મુકવા માંડ્યો.

શાહુકારની હવે આંખો ઉઘડી, પોતાનું કેવું સત્યાનાશ વળ્યું હતું તે તેણે હવે જ જોયું. તેણે તે ગુણકાને કાલાવાલા કરી કહ્યું કે, ' અરે ! તેં મારી તમામ દોલત અને માયા પુંજી હરી લઈને તું મને કાઢી મુકે છે તો હવે હું ક્યાં જાઉં?'

ગુણકા - તેમાં હું શું કરૂં ? તને ગમે ત્યાં જા.

શાહુકાર - તારા વગર મારે બીજું એકે ઠેકાણું રહ્યું નથી.

ગુણકા - નથી તો જહાનમમાં જા.