પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો આડત્રીશમી
-૦:૦-
વણીક કળા -૨
-૦:૦-

બે ચાર દહાડા વીત્યા પછી એક દીવસે શાહ અને બીરબલ બાગમાં બેઠા હતા. તે સમે વાત ઉપરથી વાત નીકળતાં વાણીઆની વાત યાદ આવતા શાહે કહ્યું કે, ' બીરબલ ! તે દીવસે બીજા વાણીઆની કળા વીષે વાત કરવા કહ્યું હતું તે જો યાદ હોય તો કહી સંભળાવ.

બીરબલ--તે આપણા શહેરનોજ પણ જરા ગરીબ હાલતનો એક વાણીઓ હતો. તેણે પણ ચોરને મારી નાખી પોતાના માથેથી તોહોમત ઉતારી બીજા ઉપર નાંખ્યું હતું.

કપુરચંદ નામે વણીક પોતાના નાના સરખા ઘરમાં રહેતો હતો. એક રાતના તેના ઘરમાં ચોર દાખલ થયો. તે ચોર એક બાજુએ બેસી વાણીઆના કીમતી સામાનનો પોટલો બાંધતો હતો. એટલામાં વાણીઆની નજર તેની ઉપર ગ‌ઇ. તરત વાણીઆએ તરવાર ખેંચી ચોરનું માથું ઉરાડી મુક્યું.

પ્રભાત થવા આવી એટલે વાણીઓ ઓસરીમાં જ‌ઇ બેઠો. એટલામાં પડોસમાં રહેનાર એક સીપાઈ ત્યાંથી જતો હતો. તે સીપાઈને ઘરમાં બોલવીને તે ચોરના શબને બતાવીને કહ્યું કે, ' જમાદાર સાહેબ ! રાતે ચોરી કરવા આ ચોરને મેં ઠાર કરેલ છે, પણ હવે સરકારમાં મારે ફરીયાદ શી રીતે કરવી તે હું જાણતો નથી.' એટલું કહી એક નવું ધોતીઉં જમાદારને દીધું. તે લઈ જમાદારે કહ્યું કે, ' અરે એમાં તે શું ? આ ચોરને તો મેં માર્યો. આ તો જુનો ચોર હતો તેથી તેને જીવતો અથવા મુવેલો લાવનારને સરકારે ઇનામ આપવા ઠરાવ કરેલ છે. તેજ ચોર આજ માર્યો ગયો તેથી મને ઇનામ મળશે.'

એટલું કહેતાની વાર જમાદારે ચોરના શબને વાણીઆના ઘરમાંથી ઘસડી બહાર કાઢી અને મજુરો પાસે ઉંચકાવી ચોકી ઉપર લઈ ગયો.

જમાદાર ગયા પછી વાણીઆણીએ કહ્યું કે, 'પ્રાણનાથ તમે ધોતીઉં મફતનું આપી દીધું. ચોરને તમે ઠાર કીધો. અને તેનું ઇનામતો જમાદાર લેશે ?