પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાર - સ્ત્રી કુલીન હો, કીંવા અકુલીન હોય તોપણ તેની આગળ કદી પણ સાચી વાત કરવી નહીં. સ્ત્રીઓનાં પેટ હંમેશાં હલકાં હોય છે તેથી તે સારા નરસાનો વિચાર ન કરતાં વાતને બહાર કાઢી નાંખે છે. કંઇક અવીચારી લોકો પોતાની કાર્ય સીદ્ધી સફલ કરવા માટે ન્હાના મોટા અમલદારોની મીત્રાચારી બાંધે છે, પણ તે ફલદાયક ન નીવડતા પ્રાણઘાતક નીવડે છે.


-૦-