પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

આત્મપ્રતીતિ
એ જ પ્રમાણ

૧. ચારિત્ર, ચિત્તશુદ્ધિ અને દૈવી સંપત્તિનો વિકાસ એ બુદ્ધના ઉપદેશોમાં સૂત્ર રૂપે પરોવાઈ ગયાં છે. પણ એના યે સમર્થનમાં એ સ્વર્ગનો લોભ, નરકની ભીતિ, બ્રહ્મનો આનંદ, જન્મમરણનો ત્રાસ, ભવસાગરનો ઉતાર કે કોઇ પણ બીજી આશા કે ભીતિ આપવા ઇચ્છતા નથી. એ કોઇ શાસ્ત્રના આધારો આપવા ઇચ્છતા નથી. શાસ્ત્ર, સ્વર્ગ-નરક, આત્મા, જન્મ-મરણ વગેરે એમને માન્ય નથી એમ નહિ, પણ એ જે વાતો કહેવા ઇચ્છે છે તેની કિંમત સ્વયંસિદ્ધ છે અને પોતાને વિચારે જ સમજી શકાય એવી છે. એ કહે છે :

૨૭