પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.

નાશની ઇચ્છા તથા સત્ય, અહિંસા, દયા, દાન વગેરેમાં અશ્રદ્ધા એ ત્રણ માનસિક પાપ છે.

ઉપોસથવ્રત

૪. મહિનામાં ચાર દિવસ ઉપોસથવ્રત કરવાવાળાએ તે દિવસે આ પ્રમાણે વિચાર કરવો જોઇયે : આજ હું પ્રાણઘાતથી દૂર રહ્યો છું;*[૧] પ્રાણીમાત્ર વિષે મારા મનમાં દયા ઉત્પન્ન થઇ છે, પ્રેમ ઉપજ્યો છે. હું આજ ચોરીથી દૂર છું, -જેના ઉપર મારો અધિકાર નથી, એવું હું કશું લેવાનો નથી; અને એ રીતે મેં મારા મનને પવિત્ર બનાવ્યું છે. આજે હું બ્રહ્મચર્ય પાળવાનો છું. આજે એમેં અસત્ય ભાષણનો ત્યાગ કર્યો છે; આજથી મેં સત્ય બોલવાનો નિશ્ચય કર્યો છે; આથી કરીને લોકોને મારા શબ્દો પર વિશ્વાસ બેસશે. મેં સર્વ પ્રકારનાં માદક પદાર્થોનો ત્યાગ કર્યો છે; અકાળભોજનનો ત્યાગ કર્યો છે; મધ્યાહન પહેલાં હું એક જ વાર જમવાનો છું. આજે નૃત્ય, ગીત, વાદ્ય, માળા, ગંધ, આભૂષણ વગેરેનો ત્યાગ રાખીશ. આજે હું તદ્દન સાદી શય્યા પર સુઈશ. આ આઠ


  1. * બુદ્ધના કાળમાં માંસાહારનો રિવાજ સાધારણ હતો. આજે પણ બિહાર તરફ વૈષ્ણવો સિવાય બીજા સર્વે માંસાહારી કે મસ્ત્યાહારી છે.


૩૧