પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

આનંદ - જી, હા; ત્યાં એમનું ઘણું માન જળવાય છે.

બુદ્ધ - એ લોકો પોતાની વિવાહિત કે અવિવાહિત સ્ત્રીઓ પર જુલમ તો નથી કરતા ને ?

આનંદ - જી, ના; ત્યાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા ઉચ્ચ છે.

બુદ્ધ - વજ્જી લોકો શહેરનાં અથવા શહેર બહારનાં દેવસ્થળોની કાળજી લે છે ?

આનંદ - હા, ભગવન્ .

બુદ્ધ - આ લોકો સંતપુરુષોનો આદરસત્કાર કરે છે ?

આનંદ - જી, હા.

આ સાંભળી બુદ્ધ અમાત્યને ઉદ્દેશીને બોલ્યા, "મેં વૈશાલીના લોકોને આ સાત નિયમો આપ્યા હતા. જ્યાં સુધી એ નિયમોનું પાલન થાય છે ત્યાં સુધી તેમની સમૃદ્ધિ જ થશે, અવનતિ થઈ શકવાની નથી." અમાત્યે અજાતશત્રુને જજ્જી લોકોને ન કનડવાની જ સલાહ આપી.

અભ્યુન્નતિના
નિયમો

અમાત્યના ગયા પછી બુદ્ધે પોતાના ભિક્ષુઓને એકત્ર કરી નીચે પ્રમાણે શીખામણ આપી :

૪૦