પૃષ્ઠ:Chhayanat.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨: છાયાનટ
 

એ રેંટિયામાંથી નીકળે દેશોદયના તાર !
એ તારે તારે, ભાળું ભારતનો ઉદ્ધાર !
ધીમે ધીમે ચાલે રે !

રેંટિયામાંથી તાર તો ધીમે ધીમે નીકળતા હતા, પરંતુ એ તાર કોઈ અજબ કરામત વડે એ બંને યુવતીઓની પાછળ ચાલતા બે સોહામણા યુવકો ઉપર ખૂંપનું સ્વરૂપ ધારણ કરતા વીંટાઈ જતા હતા. !

ખૂંપ બંને યુવકોને શોભતા પૂરા થયા એટલે સહુએ ઊભા રહી ‘વંદેમાતરમ્' નું ગીત શરૂ કર્યું. 'વંદેમાતરમ્' ગવાતી વખતે સહુએ ગંભીર મુખ કરી જમીન સામે જોવું જ જોઈએ એવો કાયદો ઘડાયો લાગે છે ! કાયદો ઘડાય કે ન ઘડાય, પરંતુ ધર્મ પાળી પાળીને ધર્મિષ્ઠ બનેલા મુસ્લિમોથી આવું મૂર્તિગીત સહન થાય ?

‘થોભો ! ગીત બંધ કરો ! અમારી નમાજમાં દખલ પહોંચે છે ! ‘એક મસ્જિદમાંથી મુસ્લિમટોળું ધસી આવ્યું, જેના નેતાએ કહ્યું.

‘નાપાક, કાફરો ! સત્તામાં તો ભાગ આપતા નથી અને ખુદાની બંદગીમાંથી પણ અમો સાચા મુસ્લિમોને તમારે રોકવા છે ?’ બીજા નેતાએ કહ્યું.

‘અય પરવરદિગાર, અમારા હાથમાં એવડી તાકાત આપ કે દુશ્મનોના ભાંગીને ભુક્કા...' સહુથી જબરા ત્રીજા નેતાએ લાકડી ઉગામી ખુદાનું આવાહન કર્યું.

‘અરે બિરાદરો, તમારા દિલને દુઃખ થતું હશે તો અમે ગીત બંધ કરીશું; એટલું જ નહિ, અમારા દેવસ્થાનો આટલામાં હશે તો તેમને પણ અહીંથી ઉઠાવી લઈ જઈશું.’ પ્રભાત ફેરી ફરતા એક વીર નરે કહ્યું.

‘અમે ગુણવંતી ગુજરાતનાં સંતાનો ! કદી કોઈને દુ:ખ થવા ન દઈએ.' બીજા પ્રભાત ફેરી નેતાએ પાછાં પગલાં ભરતાં કહ્યું.

‘કેવી ગુજરાત ?' મુસ્લિમ નેતાએ પ્રશ્ન કર્યો.

‘ગાંડી ગુજરાત !’ બીજા મુસ્લિમે હસીને કહ્યું એ મુસ્લિમ પોતે ગુજરાતમાં જ રહેતો હતો. સાત પેઢીથી એના રુધિરમાં અગુજરાતી અંશ પ્રવેશ પણ પામ્યો ન હતો. ત્રણ ચાર પેઢી ઉપર તેના પૂર્વજો હિંદુ હતા. પરંતુ મુસ્લિમ થતા બરોબર એક ગુજરાતી શૂરવીર બની જાય છે, અને ગોરી એડી નીચે કચરાયલાં નમાલાં પરદેશી મુસ્લિમ રાજ્યો સાથે ભળી જઈ પાકિસ્તાન રચવાનાં મોહક સ્વપ્નાં સેવે છે. એ મુસ્લિમ ગુજરાતને કેમ ગાળ ન દે ?

ટોળું ખડખડ હસી પડયું. વિશુદ્ધ હૃદયી હિંદુ ગુજરાતી ભાઈબહેનોએ