પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

ન ગયા હોય, પણ એક કોમ તરીકે પ્રજાકીય આંદોલનને એમનું પીઠબળ હતું જ.

“વડોદરાની આ કમનસીબ ફિસાદને તો હું સાચે જ સમજી શક્યો નથી. હજુ એના આઘાતમાંથી મને પૂરતી કળ જ વળી નથી કે હું સ્થિતિને બરાબર સમજી શકું. આમાં પણ વડોદરા સ્વયંંતંત્ર મેળવે તેમાં મહારાષ્ટ્રીઓને ખોવાપણું શું છે? પેાતાની અસર કાયમ રાખવાને તેઓ પૂરતા શક્તિશાળી છે. કહેવાતી ગુજરાતી બહુમતીથી તે કચડાઈ જાય તેવું છે જ નહિ. અને અધિકારની જગાઓના ટુકડાની વહેંચણમાં બહુમતીવાળા કદાચ પોતાનો ભાગ મેળવે તોયે તેમાં આઝાદીની લડતમાં ભાગ લેતા અટકી જવા જેવું મહારાષ્ટ્રીઓને સારું શું છે ? તેથી આ કજિયાનાં મૂળ તપાસ્યા વિના પણ, જ્યાં સુધી પ્રજાસેવકો અહિંસક રહેશે અને મહારાષ્ટ્રીઓએ જે કઈ કર્યું તે બદલ તેમના પ્રત્યે કડવાશ નહિ ધરે ત્યાં સુધી, મને કશી આશંકા નથી. વડોદરાની વસ્તી ૨૫ લાખ છે, અને મહારાષ્ટ્રી માંડ થોડા હજાર અને તે પણ ઘણાખરા વડોદરા શહેરમાં વસનારા છે, એ બીના લક્ષમાં લેતાં આ સવાલને ખાસ મહત્ત્વ રહેતું નથી.”

હરિજનબંધુ, ૨૯–૧–૧૯૩૯