પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૭
એનો મર્મ

નહિ. પણ મારાં પાનાં જો કોઈ જોવા માગે તો તેને તેવી તપાસ, ફેરતપાસ અને ચકાસણી કરવા દેવાનો, અને જો ક્યાંયે મારી ભૂલ માલૂમ પડે તો તેનું પરિમાર્જન કરવાનો સત્યાગ્રહી તરીકે મારો ધર્મ છે.

તેથી થયેલા સમાધાનનો મારો અર્થ તો એવો છે કે પરમેશ્વરે મને ધાર્યા કરતાં ઘણું વધારે આપ્યું છે. મારી આ અટકળ બરાબર છે કે કેમ એ તો સમય જ બતાવશે.

રાજકોટ, ૮–૩–૩૯
હરિજનબંધુ, ૧૨–૩–૧૯૩૯