પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

પહેલાં, આમવર્ગ રાજ્ય મહાસભાની શિસ્ત હેઠળ આવ્યાની પ્રથમ શરતરૂપે, વધુ નહિ તો, રચનાત્મક કાર્યક્રમની પૂર્ણતા તો તેમને હાથે થવી જ જોઈએ.

મારી આ સલાહનો અસ્વીકાર કરવાનો કાર્યકર્તાઓને સંપૂર્ણ અધિકાર છે, એ કહેવાની તો ભાગ્યે જ જરૂર હોય. વળી સ્થાનિક પરિસ્થિતિના તેઓ જ વધુ સાચા જાણકાર હોઈ શકે એ મારે કબૂલ કરવું જોઈએ. તેથી મારી સલાહ જો તેમની બુદ્ધિને તથા હૈયાને બેસે અને સ્થાનિક પરિસ્થિતિના તેમના પોતાના ક્યાસની જોડે જો તે બંધબેસતી હોય તો જ તેઓ તેને સ્વીકારે.

મુંબઈ, ૪-૬-૩૯
હરિજનબંધુ, ૧૧-૬-૧૯૩૯