પૃષ્ઠ:Divadi.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોહીની ખંડણી : ૯૭
 

તને કોઈ દિવસ કશો પ્રશ્ન કર્યો નથી, છતાં તને મારો અવિશ્વાસ આવે છે? તારી ઈચ્છા હોય ત્યારથી આપણે છૂટા પડીશું.' જયંતીલાલે જરા દુઃખપૂર્વક કહ્યું,

‘છૂટા પડવું હોય તો વાર શી ? અબઘડી છૂટા પડીએ. થાપણ તેં મને લખી આપી છે તે મારી ઉપર મહેરબાની કરવા માટે નહિ. મહેનત અને બુદ્ધિ મારાં ! અને અર્ધો નફો તું મેળવી ગયો છો ! અત્યારથી જ હું કહું છું કે તું છુટો છે. તારે અને ધંધાને, તારે અને ધંધાના નફાને આ પળથી કંઈ લેવાદેવા નથી એમ માની લેજે.' કીકાભાઈએ કહ્યું,

આરામથી બેઠેલા જયંતીલાલ જરાક ચોંકીને સ્થિર બેઠા અને સખતાઈપૂર્વક તેમણે કહ્યું : 'કીકા ! મગજ ઠેકાણે નથી લાગતું, ખરું ?'

'મારું મગજ ઠેકાણે છે. સવાલ તારા મગજનો છે. આ ધંધામાં તારે કંઈ લાગતું વળગતું નથી અને કાંઈ પણ હોય તો અદાલતમાં શોધી કાઢજે.'

વેપાર અને નફાને અંગે બે જીવજાત દોસ્તો એકબીજા સાથે આમ લડી છૂટા પડ્યા. જયંતીલાલ પાસે લેખી પુરાવો કંઈ પણ ન હતો. અસલ થાપણ પણ કીકાભાઈના નામે ચોપડે ચઢી ગઈ હતી. ઉપકાર જયંતીલાલે કર્યો હતો તે બદલાઈ જઈ કીકાભાઈએ જયંતીલાલ ઉપર ઉપકાર કર્યો હોય એવો દેખાવ થયો. કૃતધ્નતા માનવીને ઘેલો બનાવી દે છે. ગમે તેમ કરી ન્યાય મેળવવો એવો મમત ચઢાવી જયંતીલાલે અદાલતમાં ન્યાય મેળવવા માટે પ્રયાસો કર્યા. ન્યાય મેળવવાના પ્રયાસનો અર્થ વકીલોમાં પૈસા વેરવા એટલો જ થાય છે. વર્તમાન યુગની કચેરીઓ ન્યાય આપી શકે એવું એમનું બંધારણ જ નથી. કીકાભાઈએ જયંતીલાલના ભાગની સમૂળગી ના પાડી; જયંતીલાલે પોતાનો ભાગ નહિ પણ મુખ્ય ભાગ હોવાની સચ્ચાઈ ઉપર અદાલતનો આશ્રય લીધો, જેમાં તેમને ન મળ્યો