પહેલું ઈનામ હરજીવન કેવી રીતે હાર્યો ? પેલા શેઠે કહ્યુંઃ 44 હારત તા નહિ, ઘણી સરસ કુસ્તી કરતા હતા.” મારી બીજી પાસથી એક માણસે મારે હાથ ઝાલી કાઠિયાવાડી ઉચ્ચારમાં કહ્યું: “ઇ તા વાત જ જાવા દો. જેમ એલી કાખર્યું વઢના કાખવું, એમ ગોટા થઈ ગ્યા તા. કિયા હૈડે ક્રિયા ઉપર કાંઈ વરતાય જ નહિ. * હું એની સામું જ જોઈ રહ્યો પણ એને કાંઈ લાગ્યું નહિ. મેં આગળ વાત ચલાવવા પેલા શેઠને કહ્યું: ‘‘ ત્યારે એમ કેમ થયું ? ” તેણે કહ્યું: ‘‘ હરજીવન પણ જબરે ઘણા હતા, પણ મહાસુખ વધારે ચપળ હતા એટલે હરજીવન હાર્યો. વળી પેલા કાઠયાવાડીએ કહ્યું: “ એ હા પણ જીત્યા જ કહેવાય. આજનું આખું કામ ગોઠવ્યું એણે, હલાવ્યું એણે એટલે એ જીત્યા જ કહેવાય. ' આ વગર પૂછ્ય મેલાતાં હરજીવનનાં વખાણુ મારાથી ખમાતાં નહોતાં. મેં કહ્યું: “ ત્યારે તે આ પંચમુખી કુસ્તી હરજીવનભાઇએ ગેાઠવી હશે? પંચમુખી હનમાન ઉપરથી નામ પાડયું કે શું ? પેલા શેઠે કહ્યું: ‘‘ એ સૌથી સરસ હતું. મહાસુખે એકલે ખીજી પંકિતના ચાર મળ્યાને હરાવ્યા. આટલું જોયું પણ એવું ક્યાંઈ જોયું નહે. ” મને પણ જિજ્ઞાસા વધી. મેં પૂછ્યું: એકલે શી ' t રીતે હરાવ્યા ? ” પેલા શેઠે કહ્યું: “ પહેલાં તે અમને લાગ્યું કે આમાં કાંઇ નથી. પેલા લડવા આવે તેમ તેમ મહાસુખ નાસતે। જાય, અમને તા થયું કે આ તો નાસભાગની રમત છે. ’’ “ એટલામાં ઘુમરી દેતાંક ને જે ઝપાટા માર્યોના તે એક તે ચીતાપાટ પડયેૉ. ” પેલા કાઠિયાવાડીએ વચમાં ઝુકાવ્યું. મને ચીડ ચઢી, પણ ગમ ખાઇને પેલા શેઠ સામું જોયું. તેણે વાત આગળ ચલાવી.
૧૫