પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કપિલરાય


"હા...હા. હવે તમે કહો છો ત્યારે સાચું લાગે છે." તેઓ એકદમ બોલી ઊઠ્યાઃ “ જવા અગાઉની સાંજે તેમણે મને કહેલું કે પોતે એવું સાહિત્ય લખ્યું છે કે જેથી સાહિત્યના મહાન પ્રશ્નોનો ખુલાસો થઈ જાય. પણ તેમને પોતાને એ છપાવવાની ગરજ નથી. પણ હું શું સમજું ! થયું. હવે તો બીજું શું થાય ?" મેં સાહેબજી કર્યા.

કપિલરાય ઉપર અમારી ફતેહ ધાર્યો કરતાં વધારે થઇ ગઇ હતી. પણ એ ફતેહ થઇ તેની સાથે જ મને કપિલરાય માટે ચિન્તા થવા લાગી. એ બેવકૂફ઼ કોણ જાણે શુંનું શું ય કરી બેસશે એવો ભય મને લાગ્યો. આ તો હસતામાંથી ખસતું થ્ઇ ગયું. અમારી મડળીને મેં બોલાવી બધી વાત કરી. અમે નક્કી કર્યું કે છગનલાલે તરત જ એક ચર્ચાપત્ર લખવું. તેમાં જણાવવું કે એ લેખ પોતે લખેલો નથી, પણ કપિલરાયનો છે. કપિલરાય જ્યાં હશે ત્યાં ચર્ચાપત્રો તો વાંચતા જ હશે. છેવટે પાતે મૂકી ગયેલા કાગળોમાંથી કંઈક છપાશે એવી આશાથી પણ વાંચતા હશે જ.

છગનલાલે ચર્ચાપત્રમાં લેખ મોકલ્યો તે છપાયો. પણ તંત્રીને એવું સૂઝ્યું કે ફુદડી મૂકીને નીચે ટીપ કરી કે ‘ ઉપરનું ચર્ચાપત્ર આવ્યું તેવું છાપ્યું છે પણ તે વિશ્વસનીય લાગતું નથી. કારણ કે આ લેખક આટલો બધો મોડો જવાબ શા સારુ આપે ? વળી કપિલરાયે લખ્યું હોય તો તે પોતે જ કેમ એ બાબત પ્રસિદ્ધ ન કરે, ખાસ કરીને જ્યારે આ ઉપર આટલી બધી ચર્ચા ચાલી છે ત્યારે ? છગનલાલ જો કપિલરાયના મિત્ર હાય અને તેથી કપિલરાયને યશ આપવા માગતા હોય તો તેમનું ખોટું નામ આવ્યું કે તરત જ તેનો

૧૫૭