પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
२१


છે, પણ વાર્તા કહેનારને પ્રશ્ન કાયમ રહે છે અને એ પ્રશ્ન કાયમ રહે છે તેનું માનસિક કારણ અનુકરણવાળી લીટીઓના મજાકના રૂપમાં મૂક્યું છે તોપણ આ માનવ નબળાઈનું ભાન મજાક કરતા કોઈ બીજા ભાવનો-જરાક દિલગીરીનો ભાવ?– પણ અનુભવ કરાવે છેઃ

મને એટલું હો એટલું કહો કથી રે લોલ,
માન્યું અમાન્યું હો સંત કાં થતું નથી રે લોલ?
ધાર્યું અધાર્યું હો સંત કાં થતું નથી રે લોલ?

આટલા—એક પ્રશ્નનો ખુલાસો કરવાના પ્રયત્નરૂપી-નાના બનાવના નિરૂપણમાં પણ પ્રત્યેક પાત્રના સ્વભાવની વિશેષતા આવી જાય છે. મિ. ઉવાર્ડ જેને ‘individuality’ ‘વૈશિષ્ટ્ય’ સાચવીને ‘ typical ’ ‘ વગસૂચક ’ પાત્રનિરૂપણ કહે છે તે આ વાર્તામાં અને પછીની વાર્તાઓમાં સ્પષ્ટ દેખાશે. આ વાર્તાનો નાયક આજનો પરણેલો બી. એ. થઇ ગએલો અને એલ. એલ. બી. થતો——જાત જાતના પ્રશ્નોમાં ગુજરાતી બુદ્ધિને સહજ સૂક્ષ્મતાથી માથું મારતો, મશ્કરા સ્વભાવનો છતાં સંસ્કારી યુવાન દેખાય છે. બહેન, સ્ત્રી, મા આ બધાંમાં ગુજરાતના સામાન્ય કુટુમ્બની છૂટ અને મલાજાવાળાં કુટુમ્બોમાં જે બહેન, સ્ત્રી આદિ હોય છે તેના નમૂના છે.

‘ રજનું ગજ ’નું વસ્તુ ૧૯૨૧–૨૨ ના અસહકારના જમાનામાંથી લીધું છે. અસહકારની ચળવળમાં દુનિયાના બીનઅનુભવી જુવાનો અને જમાનાના ખાધેલા આધેડ વયના અને ઘરડા માણસો એકઠા થઈ ગયા હતા. જુવાનિયાની દષ્ટિ બધું વિશ્વાસથી, વેગથી, છૂટથી અને બેપરવાઇ કરવાની, જમાનાના ખાધેલાની દૃષ્ટિ અમુક માણસ સારો છે એમ સાબીત થાય નહિ ત્યાં સુધી એ ખરાબ છે, સ્વાર્થી છે, વિશ્વાસ રાખવા