કોર્ટ: “ બાઇ હરિને તે ક્યાંથી લાવ્યા ?"
જવાબ: “તે હું જાણતો નથી. ”
કોર્ટ: “ બાઇ હરિને તમે ખૂન વિષે તે જ વખતે કાંઈ પૂછેલું ?”
જવાબ: “ હાજી. તેણે કહ્યું કે મને મારી મોટી બહેનની દયા આવી. તેથી મેં એમને સમજાવ્યા કે આજ તેને કાંઈ બહાનું કાઢી નોતરું દો. પછી હું ઘરમાં રાંધતી હતી. મારા ધણી ઘરમાં બેઠા બેઠા હોકો ભરતા હતા. તે લાગ જોઇને મારી શોક્યે મારા ધણીની તલવારથી મારા ધણીને માર્યો. એ પ્રમાણે બાઇ હરિએ મને કહેલું."
કોર્ટ: “ તમે બાઈ રૂખીને કાંઇ પૂછેલું?"
જવાખ: “ હાજી; પણ તેણે કાંઇ જવાબ આપ્યો નહોતો. મેં બાઇ રૂખીને કબજે કરી થાણામાં મોકલી. ગામના પંચોને બોલાવી પંચક્ચાસ કરાવ્યો તે રજૂ કરું છું. મરનારને ડૉક્ટરને ત્યાં મોકલ્યો. આ કપડાં મૈયતનાં છે. તલવાર ત્યાં પડી હતી તે છે. આ માટલામાં ભરેલી ધૂળ ગુનાવાળી જગામાંથી મેં લેવરાવી તે છે."
કોર્ટઃ “ ત્યારે બાઇ હિરાને શા માટે અને ક્યારે કેદ કરી ?"
જવાબઃ ઇન્સ્પેક્ટર પોતે તપાસ કરવા આવ્યા હતા. તેમણે તેને કેદ કરી. ત્રણ દિવસ પછી કેદ કરી. ”
મી. સેંધા: “પણ બાઈ હરિને શા માટે કેદ કરી હશે ?"
મી. ભિડે: “ એ હું કહું, મી. કેશવલાલ ! નવી બૈરી વધારે રૂપાળી હતી ખરી કે નહિ? દેશી રાજ્યનો ઇન્સ્પેકટર રૂપાળી બૈરી આવતી હોય તો જવા દે કે ? ”
મેં કહ્યું: “ મારી વાત ખરી કે ખોટી તમારે માનવી હોય તેવી માનજો, પણ તે વારતા છે જ અને વારતા કહેનારને ઠીક પડે તે રીતે વારતા કહેવાનો હક છે."