સરકારી નારીની સફળતાના બેદ ઘરમાં ગયે. મને પાટલા ઉપર બેસાડયા. તરભાણામાં મારા પગ મુકાવ્યા. પછી પંચામૃતથી મારા પગ, ધીમે ધીમે ડાકારજીને નવરાવે તેમ આચમનીએ આચમનીએ ધાયા અને છેવટે અર્ધપાદ સતી પી ગઇ. પછી આરતી ઉતારી. આ ક્રિય દરમિયાન મને અનેક ભય શંકા તિરસ્કાર થયા જ કરતા હતા. મને લાગતું હતું કે હું ક્યાંક માંડે↑ થઇ જઇશ. કોઈ પણ માણસને ગાંડા કરવાની સહેલામાં સહેલી રીત તેને પગે પડવું એ છે. એ જ રીતથી મહેતાજીએ પતુજ અન્યા છે, રાજા, વાજા અને વાંદરાં જેવા બન્યા છે, ધર્મગુરુઓ અમાન્ય બન્યા છે! k આ ક્રિયાથી મને નવી ચિંતા ઊભી થ. પ્રાતવંદન તે ખાનગી ક્રિયા હતી અને આ તે। જાહેર તહેવારનું રૂપ લેશે એમ લાગતું હતું. વળી માસિક લગ્નતિથિએ આટલી વિધિ તે વાર્ષિકમાં શું થશે એ કલ્પનાએ હું ધ્રુજવા લાગ્યા. ગમે તેમ કરીને આના કાંઇક રસ્તો કાઢવા એમ નક્કી કર્યું અને મારા સઘળા અભ્યાસ અને કલ્પનાના ઉપયોગ કરીને માર્ગ શેાધી કાઢયે. રાત્રે સતી પાસે જઈ મેં કહ્યું: “ સતી ! જેમ તમારા હું પ્રભુ છું તેમ મારે પણ શ્વર પ્રભુ છે. જેમ તમે તમારા પ્રભુની પૂજા કરે છે. તેમ મારે મારા પ્રભુની કરવી જોઇએ. પણ તમે મારી પૂજા કરેા એટલા વખત મારું ધ્યાન ઈશ્વરપૂજનમાં રહી શકતું નથી. માટે મને એક ખીન્ને ઉપાય સૂઝે છે. ઈશ્વરનું પૂજન જેમ મૂર્તિથી કરીએ છીએ તેમ તમે પણ મારું પૂજન મૂર્તિથી કરો. તમને હું મારા ફોટોગ્રાફ આપું તેનું તમે નિત્ય નાહીને પૂજન કરો. અને લતિથિએ પણ તેનું જ પૂજન કરી. તેથી આપણા બન્નેનું કલ્યાણ થશે. સીને આ વાત ગળે ઊતરી. તે
૫૩