પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દુર્ગમ ગણતી આવી છે. એ બન્નેનું સ્વરૂપ એવું છે એ ખોટું પણ નથી. પશુ પછી માણસજાતે બન્નેમાં અનેક કપોલકલ્પિત શક્તિઓનો આરોપ કરી તેનો મહિમા વધાર્યો અને તેને વિશે અટપટી વિધિઓ કરી! આમાં અસત્ય રહેલું છે અને એ અસત્યની પણ માણસજાતને ભારે કિંમત આપવી પડે છે. ‘ઉત્તર માર્ગનો લોપ’ એ એ અસત્યે લીધેલા ભોગની વાર્તા છે.

આ બન્ને વાર્તામાં એક બીજી દૃષ્ટિ પણ છે. જગજીવન પોતાનો અધિકાર અને ધ્યેયનું સ્વરૂપ સમજ્યા વિના ન પરણવાનું વ્રત લે છે. ઉત્તર માર્ગમાં તો બન્ને સાધકો ઉપર એ ધ્યેય અનેક કપોલકલ્પિત શક્તિઓની આશાએ લાદવામાં આવ્યું છે, ધ્યેય અલબત મનુષ્ય જે ભૂમિકાએ હોય ત્યાંથી વધારે ઊંચુ જ હોય. એ એનામાં સિદ્ધ નથી માટે તો એની સાધના કરવાની છે, પણ તે સાથે જ ધ્યેયનું અનુસંધાન માણસના કોઈ પણ અનુભવ સાથે હોવું જોઈએ, ધ્યેય સુધી ઊંચે જવાનું છે, પણ તે અંદરથી ઊગીને જવાનું છે. એ ઊગવાનું બીજ જ ન હોય તો ધ્યેય નકામું છે, ભારરૂપ છે. અને ખીજાં ધ્યેયો કરતાં નૈષ્ઠિક બ્રહ્મચર્યના ધ્યેય વિશે મને આ બતાવવા જેવું જણાયું છે.

‘બે ભાઇઓ’નું રહસ્ય એટલું જ છે કે ભાઈઓ જેવા સંબંધમાં પણ ઈર્ષ્યા કેવું અનિષ્ટ કરે છે! જે બનાવ કુદરત કે અકસ્માતથી બનેલો છે, જેમાં માણસનું કર્તૃત્વ નથી, જેને માટે કોઈ પણ જવાબદાર નહોતું, એવા બનાવમાંથી માણસ કેવળ દૌર્જન્યથી પોતાને માટે કેટલું પાપ અને અન્યને માટે કેટલું દુઃખ ઊભું કરે છે !

‘બુદ્ધિવિજય’માં મુખ્ય વક્તવ્ય એ છે કે, આગળ કહ્યું તેમ, માણસ ધર્મ તરફ ધાર્મિક વૃત્તિ ન રાખતાં, ધર્મને ઐહિક મહત્તાના સાધન તરીકે વાપરે છે અને ત્યારે તેનું પરિણામ વિનાશ જ આવે છે. વળી એ પણ ધ્યાનમાં આવશે કે, આખા વિનાશની જવાબદારી બુદ્ધિવિજયની પોતાની છે, છતાં અનિષ્ટ શરૂ થાય છે તપોવિજયજીની