પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
પેાતાનો દાખલો.


મેં કહ્યું: ‘કેમ ?’

‘શું રૂપનું અભિમાન છે!’

‘કેમ ન હોય ? તારા કરતાં રૂપાળી છે’ મારાથી બોલાઈ ગયું.

ઉર્વશીએ મશ્કરીનો ભાવ જોવાની અપેક્ષાએ મારા મોં સામે જોયું, પણ તે ન જોતાં કહ્યું: ‘એમ કેમ કહો છો ?’

‘હા, પણ તારા મોંથી એનું મોં સુંદર છે.’

‘એ જ તમારી લાગણી છે ?’

ખૂન કરવાના અધૂરા નિશ્ચયે કોઈને ઘા થઈ જાય, તે પછી તો તેને અરધો હણાયેલો રાખવા કરતાં પૂરો કરવો એ એક જ ઉપાય રહે, તેમ મેં કહ્યું: ‘એમાં લાગણીનો પ્રશ્ન જ નથી. લાગણીથી કાંઈ હકીકતના નિર્ણયો. અન્યથા ન કરાય. એમ તો ત્રિવેણી પણ તારા કરતાં વધારે સુંદર છે!’

‘અને એ તમે મને કહો છો ?’

‘હું જાણું છું, તે હું જ કહુંના ! તેં તો કદી તેને દીઠી નથી.’

ઉર્વશી મારા તરફ ફરી, તેના હોઠ ફફડી ઊઠ્યા, તે અપમાનના ક્રોધમાં કાંઈ બોલી શકી નહિ, તેના હાથપગ ધ્રૂજી ઊઠ્યા, અને મારા તરફ અનંત તિરસ્કારની દૃષ્ટિ કરી તે ચાલતી થઈ.

લાંબે સુધી હું તેને જતી જોઈ રહ્યો. તેણે પાછું ફરી મારા સામું જોયું નહિ. વચમાં ફૂટપાથ પૂરો થઈ પગથિયાપૂર જમીન નીચી આવતી હતી, ત્યાં તેનો પગ ધ્રચકાયો તે મેં જોયું. મને થયું કે તેની આંખમાં આંસુ છે પણ હું એ જાણી ન જાઉં માટે તેણે હાથ ઊંચો કરી એ લૂછ્યાં નથી.” પ્રજ્ઞેશે લાંબો શ્વાસ લઈ અમારા સામું જોયું.

થોડીવાર પછી વ્યંકટેશે પૂછ્યું: “પછી તમે એમને કોઈવાર મળેલા છો ?”

“ના.”

“મળવાનું મન પણ નથી થયું ?” મૂળ ચર્ચાતા મુદ્દાને લગતો