પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત પ્રબ સાંજે ફરીને બધાં ધરમશાળામાં આવ્યાં. સુરદાસને કરવા પ્રદેશીએ આજ થાડી મીઠાઈ લીધી હતી. ધર્મશાળામાં સાવી ત્રણે ય ખાવા બેઠાં. જમતાં જમતાં લાટા ઢળી ગયો હાવાથી પરદેશી પાણી લેવા ગયા. ( ચ્યાજ સવારથી સુરદાસ વહેમાયા હતાઃ બન્ને કાનપુરમાં વતની છે, આજે રામપ્યારીએ કંઈક ખૂબ ઠારા કર્યા છે, રસ્તામાં પણ તે બની હનીને નાસી જવાનું જ ગાતી હતી, આજે મીઠાઈ લીધી છે તે રસ્તામાં ભાતા તરીકે કામમાં આવે માટે લીધી છે, આજે જ જરૂર આ પરદેશી રામપ્યારી લઈ ને નાસી જવાના છે એમ તેણે સાંકળેા મેળવી રાખી. વહેમથી શરવા થયેલા કાને તેણે પરદેશીને ઊડતાં સાંભળ્યે અને તરત પૂછ્યું: “ કયાં ! પરદેશી, કિધર જાતે હા ! ” તેણે કહ્યું કે પાણી ઢળી ગયેલું હાવાથી તે ફરી ભરવા જતા હતા પણ એ જ વખતે તેને વહેમ વધ્યાં, તે તે વધારે ધ્યાનપૂર્વક સાંભળવા માંડયો. એટલામાં જૂની રામપ્યારીને પડિયા કૂતરૂં ઉપાડી ગયું. રામપ્યારી તે લેવા એકદમ ઊઠી અને દેાડી, તે સુરદાસે સાંભળ્યું. તેને થયું કે નક્કી રામપ્યારી પરદેશી પાછળ નાઠી. તેણે ફાટી જતે અવાજે એકદમ ‘ રામપ્યારી ’ “ રામપ્યારી ” એમ બે વાર બૂમ પાડી. જવાબમાં રામપ્યારીએ કયા હૈ ? ’’ કહેલું પણ સુરદાસના અવાજમાં તેને હસતા ઝીણા અવાજ સંભળાયા નહિ. સુરદાસ એકદમ ધોકા ફેરવત દોડયા, આ વિચિત્ર દશ્ય જોઈને રામપ્યારી હસી. સુરદાસે જોરથી લાકડી ફેરવી, તે જોઈ રામપ્યારી કરી ખડખડાટ હસી. સુરદાસે બન્ને હાથે એક શબ્દવેધી કટકા માર્યા, અને રામપ્યારી ક્રુટકા પડતાં. ત્યાંજ મરણ પામી. પાણી લઈ પાછા ફરતાં પરદેશીએ આ જોયું અને ફેાજદારીમાં સંડોવાવું ન પડે માટે તે છાનામાના નાસી જ ગયા. r

27